કોરોના વાયરસ દુનિયાનો પહેલો એવો વાયરસ છે જેના વિશે કરવામાં આવેલા રિસર્ચ ધીરે ધીરે ખોટા સાબિત થઈ રહ્યા છે. કોરોનાને લઈને હજું સુધી કોઈની પણ પાસે સાચી માહિતી નથી. જેનું સૌથી મોટું કારણ એ છે કે સમયની સાથે કોરોના પોતાનું સ્વરુપ બદલી રહ્યો છે. તેના લક્ષણો પણ બદલાઈ રહ્યા છે. ત્યારે આ અંગે VTVના લોકપ્રિય કાર્યક્રમ મહામંથનમાં કોરોનાના લક્ષણોને લઈને મહત્વના સમાચાર આવ્યા છે.
શું કોરોના સમય પ્રમાણે સ્વરુપ બદલી રહ્યો છે?
પેટમાં દુખાવો અને ડાયેરીયા થવો એ પણ કોરોનાનું લક્ષણ
અગાઉ કોરોનામાં 6 નવા લક્ષણો ઉમેરાયા હતા
લોકપ્રિય કાર્યક્રમ મહામંથનમાં ડૉ. પ્રતિભા દિલીપે આ મામલે નિવેદન આપીને કહ્યું હતું કે, કોરોનામાં પેટમાં દુઃખાવો અને ડાયેરિયા નવા લક્ષણો પણ હોવાનું કહ્યું છે. આ ઉપરાંત ઘણીવાર ફેફસાને લગતી કોઈ બીમારી કોરોનાના દર્દીમાં હોતી નથી. યુવાનોને વારંવાર સ્ટ્રોક આવવો પણ કોરોનાનું એક લક્ષણ છે. કોરોના વાયરસનું મ્યુટેશન ઓળખવું હાલ ખુબ જ મુશ્કેલ હોવાનું ડોક્ટર પ્રતિભા દિલીપે કહ્યું હતું. મહત્વનું છે કે, અમેરિકાના રિસર્ચરોએ વધુ 6 લક્ષણો શોધ્યા છે.
કોરોના વાયરસના આનુવાંશિક પરિવર્તન
અત્યાર સુધીમાં કોરોના વાયરસના લક્ષણોમાં તાવ, ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ વગેરે લક્ષણોનો સમાવેશ થયો છે. પરંતુ હવે આના 6 નવા લક્ષણો સામે આવ્યા છે. અમેરિકાના હેલ્થ પ્રોટેક્શન એજન્સી સેન્ટ ઓફ ડિસીસ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન(સીડીસી)એ કોરોના વાયરસના નવા 6 લક્ષણ જણાવ્યા છે. જેમાં ઠંડી લાગવાની સાથે કમમાટી આવવી, માંસપેશીઓમાં દુઃખાવો, માથાનો દુઃખાવો, ગળામાં ખરાશ અને સ્વાદ કે ગંધનો અનુભવ ન થવો વગેરેનો સમાવેશ થયો છે. આ લક્ષણોના સામે આવ્યા બાદ કોરોનાના 6 લક્ષણો થયા હતા. જો આમાંથી કોઈ પણ લક્ષણ છે તો કોરોના હોઈ શકે છે. ત્યારે ડૉક્ટર પ્રતિભા દિલીપ દ્વારા વધુ કેટલાક લક્ષણોની માહિતી અપવામાં આવી છે. ત્યારે જુઓ સમગ્ર મહામંથન...