કેન્દ્ર સરકારે પેન્શનધારકોની ફરિયાદને નિપટાવવા માટે એક કૉલ સેન્ટરની સ્થાપના કરી છે.
કર્મચારી મંત્રાલય તરફથી જારી એક નિવેદનમાં આ જાણકારી આપવામાં આવી છે. કર્મચારી, લોક ફરિયાગ અને પેન્શન રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહએ નવી દિલ્હીમાં પેન્શન અને પેન્શનધારક કલ્યાણ વિભાગ દ્વારા સ્થાપિત એકીકૃત ફરીયાદ પ્રકોષ્ઠ અને કૉલ સેન્ટરનું ઉદ્ધાટન કર્યું છે. આ પ્રસંગે સિંહે કહ્યું કે આ સરકારના પ્રથમ 100 દિવસોમાં વિભાગની મોટી જાહેરાતમાંથી એક છે. જેનો ઉદ્દેશ આપણા પેન્શનધારકોને સુવિધા પૂરી પાડવાનો છે.
એમને કહ્યું છે કે પેન્શનધારકોની ફરિયાદનો ઉકેલ કરવા ઉપરાંત પૂરી પ્રક્રિયામાં મૂલ્યવર્ધન કરવામાં મદદ મળશે. કારણ કે પેન્શનધારકો ધીરે ધીરે ફીડબેકના રૂપમાં જરૂરી જાણકારીઓ અને સૂચન પ્રદાન કરશે જે આગળ જઇને વિભાગ માટે મદદગાર સાબિત થશે. પેન્શન અને પેન્શન કલ્યાણ વિભાગ તરફથી પેન્શનધારકો માટે એકીકૃત ફરીયાદ આ કૉલ સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે.
મંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં સરકારે છેલ્લા પાંચ વર્ષોમાં પેન્શનધારકોના કલ્યાણ માટે અનેક પહેલ કરી છે. પેન્શન વિભાગ એની સાથે જ પેન્શનધારકોની સુવિધા સુનિશ્વિત કરવાથી જોડાયેલી વિભિન્ન અભિનવ પહલોને લઇને વધારે સક્રિય અને ધ્યાન કેન્દ્રિત થઇ ગઇ છે. એમને કહ્યું કે આ કેન્દ્ર ભવિષ્યમાં લાભપ્રદ ભૂમિકા નિભાવશે.