કેન્દ્ર સરકારે બેંક ખાતામાં એક નિશ્ચિત સમય મર્યાદાથી વધુ પૈસા જમા કરાવવા અને નિકાળવાને લઇને નવા નિયમ લાગુ કર્યા છે, જે 26મેથી લાગુ થશે. આ સિવાય કોઈ બેંક અથવા પોસ્ટ ઑફિસમાં ચાલુ ખાતુ ખોલવા માટે પણ આ નિયમ લાગુ કરી દેવામાં આવ્યો છે.
પૈસા જમા કરાવવા અને નિકાળવાને લઇને નવા નિયમ લાગુ કર્યા
20 લાખ રૂપિયાથી વધુની રકમ જમા કરાવવા અથવા કાઢવા પર થશે લાગુ
26મેથી નવા નિયમનો અમલ થશે
નાણાંકીય લેવડ-દેવડમાં પારદર્શિતા વધશે
સરકારે ઉપરના બંને કાર્યો માટે આધાર અથવા પાન કાર્ડને ફરજીયાત કરી દીધુ છે. હવે 20 લાખ રૂપિયાથી વધુની રકમ જમા કરાવવા અથવા કાઢવા પર આ નિયમ લાગુ થશે. સીબીડીટીએ 10મેના રોજ સૂચના જાહેર કરી તેની માહિતી આપી છે. આ સિવાય કોઈ બેંક અથવા પોસ્ટ ઓફિસમાં ચાલુ ખાતુ અથવા કેશ ક્રેડિટ ખોલવા માટે આ નિયમ જરૂરી હશે. જાણકારોનુ માનવુ છે કે તેનાથી નાણાંકીય લેવડ-દેવડમાં પારદર્શિતા વધશે.
શું છે નવો નિયમ?
નિયમો મુજબ, જો કોઈ વ્યક્તિને પાન કાર્ડની જાણકારી આપવાની જરૂર છે, પરંતુ તેની પાસે પાન કાર્ડ નથી તો તે આધારની બાયોમેટ્રીક ઓળખ આપીને કામ પતાવી શકે છે. નાંગિયા એન્ડ કંપનીના શૈલેષ કુમારે કહ્યું કે લેવડ-દેવડના સમયે પાન નંબર આપ્યાં બાદ ટેક્સ અધિકારીઓ માટે લેવડ-દેવડ પર નજર રાખવી સરળ થઇ જશે.
જાણકોરાના મત
સીબીડીટીએ નવા નિયમ ઈન્કમટેક્સ 15મુ સંશોધન રૂલ્સ 2022 હેઠળ તૈયાર કર્યા છે. એકેએમ ગ્લોબલના સંદીપ સહગલે આ પગલાથી નાણાંકીય લેવડ-દેવડમાં વધુ પારદર્શિતા આવવાની આશા દર્શાવતા કહ્યું કે તેના કારણે બેંક, પોસ્ટ ઓફિસ અથવા સહકારી સમિતિઓને એક નાણાંકીય વર્ષમાં 20 લાખ રૂપિયાથી વધુની લેવડ-દેવડની જાણકારી આપવાની ફરજીયાત રહેશે. તેમણે કહ્યું, તેનાથી સરકારને નાણાંકીય પ્રણાલીમાં કેશ ટ્રાન્જેક્શન પર નજર રાખવામાં મદદ મળશે. તેનાથી શંકાસ્પદ થાપણો અને ઉપાડની પ્રક્રિયામાં કડકાઈ આવશે.