પીએમ મોદીએ ટીચર્સ ડેના પ્રસંગે રાષ્ટ્રીય શિક્ષક એવોર્ડ પુરસ્કાર મેળવનાર શિક્ષકો સાથે સંવાદ સાધ્યો હતો.
ટીચર્સ ડે પર શિક્ષકો સાથે સંવાદ સાધ્યો પીએમ મોદીએ
કહ્યું- નવી શિક્ષણ નીતિને ઘડવામાં શિક્ષકોની મોટી ભૂમિકા
એજ્યુકેશન સિસ્ટમને આગળ ધપાવવામાં ભારત સાચી દિશામાં
રાષ્ટ્રીય શિક્ષક એવોર્ડ પુરસ્કાર મેળવનાર શિક્ષકો સાથે વર્ચ્યુઅલ સંવાદ સાથે પ્રધાનમંત્રી મોદીએ તેમના ભારોભાર વખાણ કર્યાં હતા. આ પ્રસંગે શિક્ષકોને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે નવી શિક્ષણ નીતિને ઘડવામાં શિક્ષકોએ મહત્વની ભૂમિકા ભજવી છે. તેમણે કહ્યું કે ભારત એજ્યુકેશન સિસ્ટમને આગળ ધપાવવામાં સાચી દિશા તરફ જઈ રહ્યું છે.
#WATCH | India has surpassed the UK to become the world's fifth biggest economy...Achieving this spot is special as we have left behind those who ruled over us for 250 years...: PM Modi during his interaction with National Award winning teachers pic.twitter.com/ylA18D9rzB
વિદ્યાર્થીઓનું જીવન બદલવાનું છે
પીએમ મોદીએ કહ્યું કે આપણે ફક્ત વિદ્યાર્થીઓને શિક્ષિત જ નથી કરવાના પરંતુ તેમના જીવન પણ બદલવાના છે. પીએમ મોદીએ શિક્ષકોને વિદ્યાર્થીઓનું જીવન ધોરણના પ્રયાસો કરવાની પણ શીખામણ આપી હતી.
New National Education Policy being appreciated a lot, teachers played an important role in formulating it: PM Modi
250 વર્ષ પહેલા આપણી પર રાજ કરનાર લોકોને પાછળ રાખ્યાં
ઈકોનોમી પર બોલતા પીએમ મોદીએ કહ્યું કે ભારત બ્રિટનને ટપીને વિશ્વની પાંચમી મોટી ઈકોનોમી બન્યું છે. આ સિદ્ધિ મેળવવી વિશેષ છે કારણ કે 250 વર્ષ પહેલા આપણી પર રાજ કરનાર લોકોને આપણે પાછળ રાખી દીધા છે.
નેશનલ એવોર્ડ જીતનારા શિક્ષકો સાથે સંવાદ
પીએમ મોદીએ આ સંવાદ નેશનલ એવોર્ડ જીતનારા શિક્ષકો સાથે કર્યો હતો.