1 જુલાઈથી નવા લેબર કોડ અમલમાં આવી રહ્યા નથી. મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે હાલમાં ચાર કોડ પર રાજ્યો, ઉદ્યોગો અને અન્ય હિતધારકો સાથે વાતચીત ચાલી રહી છે.
1 જુલાઈથી નવા લેબર કોડ અમલી નહી થાય
આ નવા કાયદામાં મુખ્ય 4 કોડ હશે
પગાર ઘટશે અને પીએફમાં વધારો થશે
કોડ હજુ લાગુ નહી પડે
અટકળોથી વિપરીત, નવા શ્રમ કાયદાઓ 1 જુલાઈથી અમલમાં આવી રહ્યા નથી. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ કહ્યું કે નવા કાયદા હજુ પણ 4 કોડ, ઔદ્યોગિક વિવાદો, સામાજિક સુરક્ષા, પગાર અને વ્યાવસાયિક સુરક્ષા પર ચર્ચા હેઠળ છે. જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે 29 મજૂર કાયદાઓને ચાર કોડમાં સામેલ કર્યા છે.
ઉદ્યોગો સાથે વાતચીત ચાલુ છે
અન્ય એક અધિકારીએ કહ્યું કે આ માળખાકીય ફેરફારો છે અને મંત્રાલય શ્રમ કલ્યાણ અને વ્યવસાય કરવામાં સરળતા વચ્ચે સંતુલન બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે કેન્દ્રીય શ્રમ મંત્રાલય રાજ્યો, ઉદ્યોગો અને અન્ય હિતધારકો સાથે વાતચીત કરી રહ્યું છે અને અત્યાર સુધી વાતચીત સારી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે, આ કોડ 1 જુલાઈથી લાગુ થવાનો નથી.
પહેલા ઔપચારિક જાહેરાત કરશું
શ્રમ અને રોજગાર મંત્રાલયના અધિકારીઓએ કહ્યું છે કે એક વખત બધું નક્કી થઈ જાય પછી મંત્રાલય ઔપચારિક જાહેરાત કરશે, પરંતુ નજીકના ભવિષ્યમાં તેની શક્યતા ઓછી છે. સંસદે 2019 માં પગાર કોડ અને 2020 માં અન્ય ત્રણ કોડ પસાર કર્યા હતા, પરંતુ હજી સુધી તેમાંથી એક પણ લાગુ કર્યો નથી.
નવા કોડ્સ સાથે શું બદલાશે
તેની એમ્પ્લોયર અને કર્મચારીઓ બંને પર મોટી અસર પડશે. કંપનીઓમાંથી લોકોની ભરતી અને દૂર કરવું વધુ સરળ રહેશે. તેમજ ઔદ્યોગિક હડતાલ કરવી ખૂબ જ મુશ્કેલ થઇ જશે. રાષ્ટ્રીય વેતનનો નવો નિયમ અમલમાં આવશે, જેનાથી કર્મચારીઓને ફાયદો થશે અને અસંગઠિત ક્ષેત્રના કામદારોને સામાજિક સુરક્ષાના દાયરામાં લાવવામાં આવશે. સાથે જ પગારની વ્યાખ્યા બદલાઈ જશે અને તમારા હાથમાં જે પગાર આવશે તે કદાચ ઘટી જશે. જ્યારે નિવૃત્તિ માટે બચતની બચત વધુ હશે. ઉદ્યોગસાહસિકો અને નોકરીદાતાઓ આ મુદ્દાનો વિરોધ કરી રહ્યા છે કારણ કે તેનાથી તેમના પર નાણાકીય દબાણ વધી શકે છે. આ સિવાય નવા કોડમાં સાપ્તાહિક કામકાજના સમયમાં કોઈ ફેરફાર નથી થયો પરંતુ રોજના કામકાજના સમયમાં ફેરફાર થઈ શકે છે. જો કર્મચારી અને નોકરીદાતા ઈચ્છે તો એક દિવસમાં 12 કલાક કામ સાથે અઠવાડિયામાં 4 દિવસ કામ કરતા રહી શકે છે અને અને 3 દિવસ અઠવાડિયામાં રજા આપી શકે છે.
ઉદ્યોગો આ વિશે શું જણાવી રહ્યા છે
એક સર્વે અનુસાર 64 ટકા કંપનીઓનું માનવું છે કે આ ફેરફારોની સીધી અસર તેમના નફા અને નુકસાન પર પડશે. એડવાઈઝરી ફર્મ વિલિસ ટાવર્સ વોટસનના આ સર્વે અનુસાર ઓછામાં ઓછી 71 ટકા કંપનીઓએ તેની અસરોનું આકલન કરવા માટે પગલા લીધા છે. જો કે 34 ટકા કંપનીઓ નવા પે કોડના મામલે કોઇ ફેરફારને લઇને કોઇ નિષ્કર્ષ પર નથી આવી. 53 ટકા કંપનીઓ રિટાયરમેન્ટની ઉંમર અને લાંબા ગાળાના લાભની સમીક્ષા કરવા પર વિચાર કરી રહી છે.