નવા સ્ટ્રેનની સરખામણીએ કોવિડનો જૂનો સ્ટ્રેન વધારે ખતરનાક છે, જેમાં સૌથી વધારે મૃત્યું થયા છે. એક સ્ટડીમાં આ અંગેનો ખુલાસો થયો છે. બ્રિટેનમાં પબ્લિક હેલ્થ સંસ્થા દ્વારા કરવામાં આવેલા એક સ્ટડીમાં સામે આવ્યું છે કે માત્ર જૂના સ્ટ્રેનથી સંક્રમિત દર્દીઓને દાખલ કરવાની જરુરિયાત પડી પરંતુ તેમાં મૃત્યુંઆંક પણ વધારે છે.
કોરોનાના નવા પ્રકારને લઇને સ્ટડીમાં ખુલાસો
બ્રિટનમાં પબ્લિક હેલ્થ સંસ્થા દ્વારા કરાઇ સ્ટડી
કોરોનાનો નવો પ્રકાર સંક્રમણ જલ્દી ફેલાવે છે પરંતુ જીવલેણ નથી
જેને લઇને નિષ્ણાંતોએ જણાવ્યું કે નવા સ્ટ્રેનને લઇને પૈનિક થવાની વાત નથી, પરંતુ જૂના સ્ટ્રેનની સરખામણીથી વધારે સંક્રામક છે, પરંતુ આ જીવલેણ નથી.
એમ્સના પૂર્વ ડાયરેકટર ડો. એમ સી મિશ્રાને જણાવ્યું કે જ્યારે નવા સ્ટ્રેનની વાત સામે આવી રહી છે, તેમાં થોડી રાહતની વાત એ છે કે આ ખતરનાક નથી. તેમણે જણાવ્યું કે પબ્લિક હેલ્થ સંસ્થા દ્વારા 3600 દર્દીઓ પર આ સ્ટડી કરવામાં આવ્યો.
જેમાં બંને સ્ટ્રેનના 1800-1800 દર્દીઓ લેવામાં આવ્યાં હતા. પરંતુ તેમાં કેવલ 42 દર્દીઓને જ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. જેમાં 26 દર્દીઓ જૂના સ્ટ્રેનના હતા અને 16 દર્દીઓ નવા સ્ટ્રેનના હતા. જેનાથી એ જાણ થાય છે કે નવા સ્ટ્રેનથી પીડિત દર્દીઓની સીવિયરિટી પણ ઓછી છે, જેનાથી તેમને દાખલ ઓછુ થવું પડે છે. જ્યારે જૂના કોરોનામાં આ વધારે હતું.
નવો કોરોનાઃ જાણો વૈજ્ઞાનિકોને કેમ ડરાવી રહ્યું છે આ જાનવર?
ડો. મિશ્રાએ કહ્યું કે આ પ્રકારે જૂના સ્ટ્રેનના 26 દર્દીઓમાંથી 12 દર્દીઓના મૃત્યું થયા છે અને નવા સ્ટ્રેનને 16 દર્દીઓમાંથી 10 દર્દીઓના મૃત્યું થયા છે. અહીં જોવામાં આવે તો નવા સ્ટ્રેનની સરખામણીએ જૂના સ્ટ્રેનથી દર્દીઓનો મૃત્યુઆંક વધારે છે.
જેનાથી એ સ્પષ્ટ થાય છે કે નવો સ્ટ્રેન જીવલેણ ઓછો છે. એટલા માટે નવા સ્ટ્રેનને લઇને ડરવાની વાત નથી. હા આ સ્ટડીમાં સામે આવ્યું છે કે જૂનાની સરખામણીએ નવો સ્ટ્રેન વધારે સંક્રામક છે, પરંતુ આ ન તો સિવિયર વધારે છે અને ન જીવલેણ છે.
આ અંગે મેક્સના કોવિડ નિષ્ણાંત ડોકટર રોમેલ ટિક્કૂએ કહ્યું કે કોઇપણ ને ડરવાની જરુર નથી. હવે આ મહામારી સામે જંગ જીતવાની નજીક છે. જલ્દી જ દેશમાં વેક્સીનેશન પ્રોગ્રામ શરુ થઇ જશે. હાલ જરુરી છે કે આપણે બધાએ સાવચેતી રાખવી તેમજ માસ્કનો ઉપયોગ કરતા રહેવાનો છે.