ફોનને ચાર્જ કરતી વખતે તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. આનાથી તમારા ફોનની બેટરી લાંબી રહેશે અને ફોન પણ સુરક્ષિત રહેશે
સ્માર્ટફોન વગરનું જીવન આજે અશક્ય લાગશે
ઘણાં લોકો દિવસમાં ફોનને ઘણી વાર કરે છે ચાર્જ
ફોનને ચાર્જમાં મુકીને ઓશિકા નીચે ક્યારે પણ ન રાખો
ધ્યાનમાં રાખો આ બાબતો ફોન ચાર્જ કરતી વખતે
સ્માર્ટફોન હવે એકદમ જરૂરી ડિવાઇસ બની ગયો છે. તેના વિના ઘણી ચીજો અટકી જાય છે. ઘણી સમસ્યાઓ પણ સર્જાય છે. ઘણી વખત લોકો ફરિયાદ કરે છે કે ચાર્જિંગના કારણે તેમનો ફોન ખરાબ થઈ ગયો છે. ઘણા લોકો તેમના ફોનને ખોટી રીતે ચાર્જ કરે છે. તેથી જ આવી સમસ્યા ઊભી થાય છે. ચાર્જિંગ દરમિયાન તમે કેટલીક ટિપ્સ ફોલો કરીને ફોનને સુરક્ષિત રાખી શકો છો.
ઓરિજિનલ ચાર્જર વાપરો
ઘણા લોકો કોઈપણ ચાર્જરથી સ્માર્ટફોન ચાર્જ કરવાનું શરૂ કરી દે છે. તે એકદમ ખોટું છે. તમારે તેને હંમેશા ફોનના ઓરિજિનલ ચાર્જરથી ચાર્જ કરવું જોઈએ. ઓરિજિનલ ચાર્જરમાં ખરાબીના કિસ્સામાં, બજારમાંથી માત્ર ડિવાઈસ સપોર્ટેડ ચાર્જર અથવા ઓરિજિનલ ચાર્જર જ ખરીદો.
ચાર્જિંગ દરમિયાન ફોનનો ઉપયોગ ટાળો
ઘણા લોકો ચાર્જર પર ફોન રાખીને ઉપયોગ કરવાનું શરૂ કરે છે. તે જોખમી પણ છે. ફોનને ચાર્જ પર મૂકીને ગેમ રમવા કે કેમેરાનો ઉપયોગ કરવા જેવા ભારે કામ ક્યારેય ન કરો. જેનાથી પ્રોસેસરનો ઉપયોગ વધી જાય છે અને ફોનમાં વધારાની ગરમી ઉત્પન થવા લાગે છે.
લાંબા સમય સુધી નીચા વોલ્ટેજ પાવર સપ્લાયનો ઉપયોગ ન કરો
ફોનમાં લાંબા સમય સુધી પાવર બેંક, લેપટોપ કે લો કરન્ટથી ચાર્જ ન કરવો જોઈએ. આ બાબતોનો ઉપયોગ ફક્ત ઈમરજન્સીમાં જ કરો. લો વોલ્ટેજ ચાર્જિંગ ફોનની બેટરી લાંબા સમય સુધી ચલાવે છે પરંતુ ડેમેજ પણ જલ્દી થઇ જાય છે.
ચાર્જિંગ દરમિયાન ફોનને ઓશીકા નીચે ક્યારેય ન રાખવો
ઘણા લોકો ચાર્જ કરતી વખતે ફોનને તેમના ઓશીકા નીચે મૂકી દે છે અને સૂઈ જાય છે. આ ક્યારેક ખતરનાક સાબિત થઈ શકે છે. ફોન જ્યારે ચાર્જ થતો હોય ત્યારે તે ગરમી ઉત્પન્ન કરે છે. ગરમીને બહાર નીકળવા માટે જગ્યાની જરૂર હોય છે. આવી સ્થિતિમાં ગરમી બહાર ન નીકળતા ઘણી વખત બેટરીને નુકસાન થવાની શક્યતા વધી જાય છે.
વારંવાર ફોન ચાર્જ કરવો
ફોનને ફરીવાર ચાર્જ માં લગાવતા પહેલા ૫૦ ટકા સુધી ડિસ્ચાર્જ થવા દો. સતત ચાર્જિંગથી બેટરીની આયુષ્ય ઘટી જાય છે. આ બધી બાબતો નું ધ્યાન ફોન ચાર્જ કરતા પહેલાં રાખો તો બેટરીનું આયુષ્ય વધશે.