નેતાજી સુભાષચંદ્ર બોઝની આજે 125મી જન્મજયંતિ છે ત્યારે પીએમ મોદીએ નેતાજીના પરાક્રમને યાદ કરીને નમન કર્યા છે. પીએમ મોદી આજે પ. બંગાળના પ્રવાસે જશે અને અહીંના કાર્યક્રમમાં ભાગ લેશે.
નેતાજી સુભાષ ચંદ્ર બોઝની આજે 125મી જયંતિ
પીએમ મોદીએ કર્યા નમન
PM નરેન્દ્ર મોદી આજે પં.બંગાળના પ્રવાસે
નેતાજી સુભાષ ચંદ્ર બોઝની આજે 125મી જયંતિ પર આજે પીએમ મોદીએ નેતાજીના પરાક્રમને યાદ કરીને નમન કર્યા છે. તેઓએ ટ્વિટર પર લખ્યું કે મહાન સ્વાતંત્ર્ય સેનાની અને ભારત માતાના સાચા સપૂત નેતાજી સુભાષ ચંદ્ર બોઝને તેમની જન્મ જયંતી પર શત શત નમન, રાષ્ટ્ર દેશની આઝાદી માટે તેમના ત્યાગ અને સમર્પણને યાદ રાખશે.
महान स्वतंत्रता सेनानी और भारत माता के सच्चे सपूत नेताजी सुभाष चंद्र बोस को उनकी जन्म-जयंती पर शत-शत नमन। कृतज्ञ राष्ट्र देश की आजादी के लिए उनके त्याग और समर्पण को सदा याद रखेगा। #ParakramDivas
भारत के स्वतंत्रता संग्राम में असाधारण योगदान देने वाले नेताजी हमारे सबसे प्रिय राष्ट्र नायकों में से एक हैं। उनकी देशभक्ति और बलिदान से हमें सदैव प्रेरणा मिलती रहेगी। उन्होंने आज़ादी की भावना पर बहुत बल दिया और उसे मजबूत बनाने के लिए हम पूर्णतया प्रतिबद्ध हैं।
પીએમ મોદી બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરતા લખ્યું છે કે નેતાજી સુભાષ ચંદ્ર બોઝના 125મા જયંતિ વર્ષના સમારોહના શુભ અવસરે તેમને સાદર નમન. તેમના અદમ્ય સાહસ અને વીરતાના સમ્માનમાં આખું રાષ્ટ્ર તેમની જયંતિને પરાક્રમ દિવસના રૂપમાં મનાવી રહ્યું છે. નેતાજીએ અનેક અનુયાયીઓમાં રાષ્ટ્રભાવનાનો સંચાર કર્યો છે.
ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં અસાધારણ યોગદાન આપનારા નેતાજી સૌથી પ્રિય રાષ્ટ્ર નાયકોમાંના એક છે. તેમની દેશભક્તિ અને બલિદાનથી આપણને પ્રેરણા મળે છે. તેઓએ આઝાદીની ભાવના પર બળ આપ્યું અને તેને મજબૂત બનાવવાના પ્રયાસો કર્યા.
PM નરેન્દ્ર મોદી આજે પં.બંગાળના પ્રવાસે
બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્મજયંતી દેશભરમાં ભવ્ય રીતે મનાવવામાં આવી રહી છે. બોઝની જન્મ જયંતિના અવસરે પીએમ મોદી આજે બંગાળના પ્રવાસે જશે. પશ્ચિમ બંગાળમાં ચૂંટણીઓને લઇ રાજકારણ ગરમાયું છે ત્યારે આજે PM નરેન્દ્ર મોદી આજે બપોરે 3.30 કલાકે પં.બંગાળના પ્રવાસે પહોંચશે. પીએમ મોદી કોલકત્તામાં પરાક્રમ દિવસની ઉજવણીમાં ભાગ લેશે અને નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિની ઉજવણી કરશે. ચૂંટણીઓ અગાઉ PM મોદીનો બંગાળ પ્રવાસ ખૂબ મહત્વનો રહેશે. કોલકત્તામાં નેતાજી ભવનની મુલાકાત લેશે અને વિક્યોરિયા મેમોરિયલ ખાતે પરાક્રમ દિવસના કાર્યક્રમની ઉજવણીમાં લોકોને સંબોધન પણ કરશે.