કોરોના વાયરસના કેસમાં ઘટાડો થતાં દેશના ઘણા બધા રાજ્યોમાં લોકડાઉનમા છૂટછાટ આપવામાં આવી છે. જેના પગલે દેશના પર્યટક સ્થળોમા લોકોની ભીડ જોવા મળી રહી છે.
લાપરવાહી ત્રીજી લહેરને આમંત્રણ આપવા સમાન
હિલ સ્ટેશનો પર જોવા મળતી ભીડ ચિંતાનો વિષય
સતર્ક રહીને કડક પગલાં લેવા જરૂરી
લાપરવાહી ત્રીજી લહેરને આમંત્રણ આપવા સમાન
કોરોના વાયરસના કેસમાં ઘટાડો થતાં દેશના ઘણા બધા રાજ્યોમાં લોકડાઉનમા છૂટછાટ આપવામાં આવી છે. જેના પગલે દેશના પર્યટક સ્થળોમા લોકોની ભીડ જોવા મળી રહી છે. જેના પગલે કેન્દ્ર સરકારે નારાજગી વ્યક્ત કરી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર કોરોનાનો પ્રોટોકોલ તૂટતા હવે કેન્દ્ર સરકાર તરફથી રાજય સરકારને ચિઠ્ઠી લખી ટકોર કરવામાં આવી રહી છે.
કેન્દ્રીય સચિવે લખ્યું કે આવી લાપરવાહી ત્રીજી લહેરને આમંત્રણ આપવા સમાન છે અને ઘણી મુશ્કેલી સર્જે તેમ છે. તેમણે રાજ્યોને આદેશ આપ્યા છે કે કોરોનાના પ્રોટોકોલને ફરીથી કડક રીતે પાલન કરાવવા પડશે. સ્વાસ્થ્ય સચિવ પહેલા બુધવારે કેન્દ્રીય ગૃહ સચિવે પણ બુધવારે પત્ર લખીને નિયમોનું પાલન કરવા માટેના નિર્દેશ આપ્યા હતા. દેશના પર્યટન સ્થળો પર કોરોનાના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે અને તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે. સાથે જ સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે અમે કોરોનાની ત્રીજી લહેરની વાત કરીએ છીએ, હવામાનની માહિતી નથી આપી રહ્યા.
હિલ સ્ટેશનો પર જોવા મળતી ભીડ ચિંતાનો વિષય
PM મોદીએ વિડીયો કોન્ફરન્સ દરમિયાન પૂર્વોત્તર રાજ્યોમાં કોરોના સ્થિતિને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. આ સાથે PM મોદીએ કહ્યું હતું કે, હિલ સ્ટેશનો પર સોશ્યલ ડિસ્ટન્સિંગ કે માસ્ક વગર જોવા મળતી ભીડ ખરેખર ચિંતાનો વિષય છે. આ સમયે વધારે જોખમી વિસ્તારોમાં કોવિડ-19 વેકસીનેશન પર ભાર આપવાની જરૂર છે.
સતર્ક રહીને કડક પગલાં લેવા જરૂરી
પ્રધાનમંત્રી મોદી કહ્યું હતું કે પૂર્વોત્તર રાજ્યોના અમુક જિલ્લાઓમાં કોવિડની સ્થિતિ ખરેખર ચિંતાજનક છે. આવા સમયે કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે ઝડપથી પગલાં લેવા જરૂરી છે. તદુપરાંત પહાડી વિસ્તારોમાં થોડા સખત પગલાં પણ લેવા પડશે. તેમણે કહ્યું હતું કે, 'હું ભારપૂર્વક કહેવા માગું છૂ કે હિલ સ્ટેશનો પર સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્કના પ્રોટોકૉલનું પાલન કર્યા વગર ભીડ એકઠી કરવી બિલકુલ યોગ્ય નથી. આપણે ઘણી વાર સાંભળ્યું હશે કે લોકો કહેતા હોય છે કે અમે ત્રીજી લહેરના આગમન પહેલા અમે થોડું એન્જોય કરવા માગીએ છીએ. આપણે એ સમજવું જરૂરી છે કે ત્રીજી લહેર આપમેળે નથી આવવાની. ઘણીવાર લોકો એવું પણ પૂછતાં જોવા મળે છે કે ત્રીજી લહેર સામે તમારી શું તૈયારીઓ છે? ત્રીજી લહેરને કઈ રીતે રોકીશું? પણ કોરોના વાયરસ જાતે નહીં આવે, માટે આપણે જ સાવધાની રાખવી પડશે.