બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
ફિલ્મ એક્ટર શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનથી જોડાયેલા ડ્રગ્સ કેસની તપાસમાં ફસાયેલા સમીર વાનખેડેની NCB માંથી વિદાઈ થઈ ગઈ છે. એનસીબીના જોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેને હવે ચેન્નઈ ડીજી ટેક્સપેયર સર્વિસ ડાયરેક્ટરેટ મોકલી દેવાયા છે.
IRS અધિકારી સમીર વાનખેડે એનસીબી મુંબઈના જોનલ ડાયરેક્ટર રહી ચૂક્યા હતા. તેઓ ડાયરેક્ટરેટ ઑફ રેવેન્યૂ ઇન્ટેલિજન્સમાં તૈનાત છે. સમીર વાનખેડેને હવે ચેન્નઈ ડીજીટીએસ મોકલી દેવાયા છે. સમીર વાનખેડેની બદલીને આર્યન ખાન ડ્રગ્સ કેસમાં થયેલા વિવાદ બાદ કાર્યવાહી તરીકે જોવામાં આવી રહી છે.
ADVERTISEMENT
Former Mumbai NCB Zonal director Sameer Wankhede transferred from Mumbai to Chennai
— ANI (@ANI) May 30, 2022
Earlier he was a part of investigation of the drugs-on-cruise case, Mumbai
(File photo) pic.twitter.com/q6hiVdUuOe
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, એનસીબીએ આર્યન ખાનથી જોડાયેલા ક્રૂઝ ડ્રગ્સ કેસમાં ગત અઠવાડિયે ચાર્જશીટ દાખલ કરી હતી. એનસીબી તરફથી કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાન સાથે 3 અન્ય આરોપીઓના નામ નહોતા. પૂરાવાના અભાવમાં એનસીબી તરફથી તેના વિરૂદ્ધ કોઈ આરોપ લગાવવામાં આવ્યો ન હતો.
ત્યારબાદ સમીર વાનખેડેની ટીકા થઇ રહી હતી. સમીર વાનખેડેએ જ આ મામલે તપાસ કરી હતી. સમીર વાનખેડે પર ચોતરફી હુમલા થઇ રહ્યા છે. આ હાઈપ્રોફાઇલ કેસની તપાસ પર પણ સવાલ ઉઠવા લાગ્યા હતા. એનસીબીના ડીજીએ આ મામલે નિવેદન આપવું પડ્યું હતું.
ADVERTISEMENT
એનસીબીના ડીજીએ કહ્યું હતું કે, તપાસમાં ચૂક અને પ્રક્રિયા પાલન ન કરનારા અધિકારીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. હવે એનસીબીના જોનલ ડાયરેક્ટર રહેલા અને કેસની તપાસ કરનારા સમીર વાનખેડેની એનસીબીમાંથી વિદાઈ થઇ ગઈ છે. સમીર વાનખેડેની બદલીને આર્યન ખાન કેસની તપાસમાં ચૂક અને પ્રકિયા પાલન કરવાને લઇને એક્શન તરીકે જોવામાં આવી રહી છે.
શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને ડ્રગ્સ કેસમાં મળી હતી ક્લિન ચીટ
ADVERTISEMENT
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ મુંબઈના હાઈ-પ્રોફાઈલ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને 'ક્લીન ચિટ' આપી હતી. ગત વર્ષે મુંબઈમાં ક્રૂઝ પર દરોડા દરમિયાન અન્ય કેટલાક લોકો સાથે શાહરુખના પુત્ર આર્યન ખાનની પણ ધરપકડ કરવામાં આવી હતી અને તેની પાસેથી પણ ડ્રગ્સ મળી આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ ડ્રગ્સ કાંડમાં આર્યનને જેલ પણ થઈ હતી જોકે બાદમાં કોર્ટે તેને જામીન પણ આપ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.