બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મુંબઈ / ndps court ncb director sameer wankhede transferred mumbai to chennai

બદલી / ક્રૂઝ ડ્રગ્સ કેસમાં આર્યન ખાનને ક્લીન ચિટ મળ્યા બાદ સમીર વાનખેડેની NCBમાંથી વિદાઈ, DGTSમાં ચેન્નઈ મોકલી દેવાયા

Hiren

Last Updated: 11:58 PM, 30 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ક્રૂઝ ડ્રગ્સ કેસમાં આર્યન ખાનને ક્લીન ચિટ મળ્યા બાદ સમીર વાનખેડેનું મુંબઈ NCBમાંથી ચેન્નઈ DGTSમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યું છે.

  • આર્યન ખાન કેસની તપાસમાં ફસાયેલા સમીર વાનખેડેની બદલી
  • NCBમાંથી વિદાઈ, DGTS ચેન્નઈ મોકલી દેવાયા
  • ડ્રગ્સ કેસમાં આર્યન ખાનને મળી છે ક્લીન ચિટ

ફિલ્મ એક્ટર શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનથી જોડાયેલા ડ્રગ્સ કેસની તપાસમાં ફસાયેલા સમીર વાનખેડેની NCB માંથી વિદાઈ થઈ ગઈ છે. એનસીબીના જોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેને હવે ચેન્નઈ ડીજી ટેક્સપેયર સર્વિસ ડાયરેક્ટરેટ મોકલી દેવાયા છે.

IRS અધિકારી સમીર વાનખેડે એનસીબી મુંબઈના જોનલ ડાયરેક્ટર રહી ચૂક્યા હતા. તેઓ ડાયરેક્ટરેટ ઑફ રેવેન્યૂ ઇન્ટેલિજન્સમાં તૈનાત છે. સમીર વાનખેડેને હવે ચેન્નઈ ડીજીટીએસ મોકલી દેવાયા છે. સમીર વાનખેડેની બદલીને આર્યન ખાન ડ્રગ્સ કેસમાં થયેલા વિવાદ બાદ કાર્યવાહી તરીકે જોવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, એનસીબીએ આર્યન ખાનથી જોડાયેલા ક્રૂઝ ડ્રગ્સ કેસમાં ગત અઠવાડિયે ચાર્જશીટ દાખલ કરી હતી. એનસીબી તરફથી કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાન સાથે 3 અન્ય આરોપીઓના નામ નહોતા. પૂરાવાના અભાવમાં એનસીબી તરફથી તેના વિરૂદ્ધ કોઈ આરોપ લગાવવામાં આવ્યો ન હતો.

ત્યારબાદ સમીર વાનખેડેની ટીકા થઇ રહી હતી. સમીર વાનખેડેએ જ આ મામલે તપાસ કરી હતી. સમીર વાનખેડે પર ચોતરફી હુમલા થઇ રહ્યા છે. આ હાઈપ્રોફાઇલ કેસની તપાસ પર પણ સવાલ ઉઠવા લાગ્યા હતા. એનસીબીના ડીજીએ આ મામલે નિવેદન આપવું પડ્યું હતું.

એનસીબીના ડીજીએ કહ્યું હતું કે, તપાસમાં ચૂક અને પ્રક્રિયા પાલન ન કરનારા અધિકારીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. હવે એનસીબીના જોનલ ડાયરેક્ટર રહેલા અને કેસની તપાસ કરનારા સમીર વાનખેડેની એનસીબીમાંથી વિદાઈ થઇ ગઈ છે. સમીર વાનખેડેની બદલીને આર્યન ખાન કેસની તપાસમાં ચૂક અને પ્રકિયા પાલન કરવાને લઇને એક્શન તરીકે જોવામાં આવી રહી છે.

શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને ડ્રગ્સ કેસમાં મળી હતી ક્લિન ચીટ

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ મુંબઈના હાઈ-પ્રોફાઈલ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને 'ક્લીન ચિટ' આપી હતી. ગત વર્ષે મુંબઈમાં ક્રૂઝ પર દરોડા દરમિયાન અન્ય કેટલાક લોકો સાથે શાહરુખના પુત્ર આર્યન ખાનની પણ ધરપકડ કરવામાં આવી હતી અને તેની પાસેથી પણ ડ્રગ્સ મળી આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ ડ્રગ્સ કાંડમાં આર્યનને જેલ પણ થઈ હતી જોકે બાદમાં કોર્ટે તેને જામીન પણ આપ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ