રાષ્ટ્રીય અપરાધ રિકોર્ડ બ્યૂરો ( NCRB) દ્વારા ચોંકાવનારો આંકડો રજૂ કર્યો છે. જેમાં જણાવામાં આવ્યું છે કે પાંચ વર્ષમાં આત્મહત્યા અને દૂર્ઘટનાના કારણે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ બળ (CAPF) ના અંદાજે 2,200 જવાનોની મોત થઇ છે.
NCRB ના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
પાંચ વર્ષમાં આત્મહત્યા અને દૂર્ઘટનાના કારણે થયેલા મોતના આંકડા
કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ બળ (CAPF) ના અંદાજે 2,200 જવાનોની મોત થઇ
NCRB ના આ આંકડા વર્ષ 2014 થી 2018ની વચ્ચેના જાહેર કરવામાં આ્યાં છે. NCRB ના આંકડા અનુસાર 2018માં થયેલ દૂર્ઘટનામાં સીએપીએફના 104 જવાનોની મોત નિપજ્યાં હતા. જ્યારે 28 લોકોએ આત્મહત્યા કરી લીધી હતી. જ્યારે આ વર્ષે કૂલ 132 લોકોના મોત થયા છે.
રાષ્ટ્રીય અપરાધ રિકોર્ડ બ્યૂરોએ જણાવામાં આવ્યું છે કે 2014માં પહેલી વાર CAPF સંબંધી આ આંકડાઓ એકઠ્ઠા કરવામાં આવ્યાં હતા. આ વર્ષે દૂર્ઘટનાના કારણે 1,232 જવાનોના મોત નિપજ્યાં હતા. જ્યારે 175 લોકોએ આત્મહત્યાં કરી લીધી હતી. બ્યૂરોના જણાવ્યા અનુસાર દૂર્ઘટનાના કારણે 2015માં 193, 2016માં 260 અને 2017માં 113 જવાનોના મોત થયા છે. ત્યારે 2015માં 60, 2016માં 74 અને 2017માં 60 કર્મીઓએ આત્મહત્યા કરી હતી.
NCRB ના આંકાડા મુજબ 2014 થી 2018 ની વચ્ચે દૂર્ઘટનામાં 1902 અને આત્મહત્યાના કારણે 397 જવાનોના મોત નિપજ્યાં છે જે કુલ 2199 થાય છે. ઉલ્લેખનીય છે કે NCRB ના આ આંકડાઓ સીમા સુરક્ષા બળ (SSB), કેન્દ્રીય રીઝર્વ પોલીસ બળ (CRPF), કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ (CISF), ભારત-તિબ્બટ સીમા પોલીસ (ITBP), સશસ્ત્ર સીમા બળ સિવાય અસમ રાઇફલ્સ અને રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડના આકંડાઓ સામે કરવામાં આવ્યાં છે.
NCRB એ હાલમાં જાહેર કરેલ એક રિપોર્ટ અનુસારા 1 જાન્યુઆરી 2018 ના રોજ CPPF ના જવાનોની વાસ્તવિક સંખ્યા 9,29,289 હતી. NCRB ના જણાવ્યું અનુસારા CPPF ના જવાનોની દૂર્ઘટનામાં થયેલ મોતના કારણોનું જો વિશ્લેષણ કરવામાં આવો ખબર પડે છે કે 2018માં 31.7 ટકા મોત કોઇ અભિયાન અથવા અથડામણ અથવા કાર્યવાહી દરમિયાનું થઇ છે. ત્યારે બાદ 21.2 ટકા મોત રોડ અકસ્માત અને રેલ દૂર્ઘટનાના કારણે થઇ છે.