રામ મંદિરને લઈને શરદ પવારનો કેન્દ્ર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, લૉકડાઉન પર આર્થિક નુકસાન પર સરકારે ધ્યાન આપવાની જરૂર છે. કેટલાક લોકોને લાગે છે કે, મંદિર નિર્માણથી કોરોના નાબૂદ થવાન છે તેવો સવાલ કર્યો છે. આપણે નક્કી કરવાનું છે કે, હાલ દેશ માટે જરૂરી છે મહામારી સામે લડવાનું કે રામ મંદિર નિર્માણ.
શરદ પવારના કેન્દ્ર સરકાર પર પ્રહાર
અર્થવ્યવસ્થાને થયેલ નુકસાન પર ધ્યાન આપે સરકારઃ પવાર
પવારે કહ્યું- કોરોના ખતમ કરવા પર કામ થવું જોઇએ
NPC સુપ્રીમો શરદ પવારે કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, આપણે એ નિર્ણય લેવો પડશે કે શું વધુ જરૂરી છે. કોરોના ખતમ કરવા માટે સરકારે કામ કરવું જોઇએ. શરદ પવારે કહ્યું કે, કેટલાક લોકો વિચારે છે કે રામ મંદિર બનાવવાથી કોરોના ખતમ થઇ જશે. જોકે સરકારે લૉકડાઉનથી થયેલા નુકસાન પર ધ્યાન આપવું જોઇએ. અર્થવ્યવસ્થા નબળી પડતી જઇ રહી છે.
શરદ પવારનું નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે ચર્ચા છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અયોધ્યામાં શ્રી રામ મંદિર નિર્માણના ભૂમિ પૂજનમાં સામેલ થઇ શકે છે. શનિવારે અયોધ્યામાં રામ મંદિર નિર્માણને લઇને રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્ર્સ્ટની બેઠક થઇ હતી. આ બેઠકમાં આના પર ચર્ચા કરવામાં આવી કે ભૂમિ પૂજનની તારીખ કઇ રાખવામાં આવે.
ચર્ચા એ પણ છે કે પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ)ને રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ તરફથી 3 ઓગસ્ટ અને 5 ઓગસ્ટની તારીખ મોકલવામાં આવી છે. જોકે સૂત્રોએ કહ્યું છે કે, પ્રધાનમંત્રી 5 ઓગસ્ટે અયોધ્યા જઇ શકે છે. હજુ આ તારીખની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.