મુંબઈમાં એક મહિલા IAS અધિકારીએ વિવાદિત માગ કરી છે. IAS અધિકારી નીધિ ચૌધરીએ ચલણી નોટ પરથી ગાંધીજીનો ફોટો હટાવવાની માગ કરી છે. આ સાથે જ દુનિયાભરમાં ગાંધીજીની મૂર્તિઓ પણ હટાવી લેવાની માગ કરી છે.
આ પ્રકારની માગ કરતું એક ટ્વીટ નિધિ ચૌધરીએ કર્યું હતું. જે બાદ દેશભરમાંથી રોષ ભભૂક્યો હતો. જેથી નીધિ ચૌધરીએ ટ્વીટ ડિલીટ કરી નાખ્યું છે. ત્યારે IAS નિધિ ચૌધરી વિરુદ્ધ કડક કાર્યવાહીની માગ ઉઠી રહી છે.
આપને જણાવી દઇએ કે, નિધિ ચૌધરી નવી મુંબઇ મહાનગરપાલિકામાં એડિશનલ કમિશ્નર તરીકે ફરજ બજાવે છે. જો કે, તેમની આ પ્રકારની ટ્વીટથી વિવાદનો મધપૂડો છંછેડાયો હતો અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરીને બર્ખાસ્ત કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. આ મામલે NCP નેતા જીતેન્દ્ર આવ્હાડએ કહ્યું કે, મહારાષ્ટ્ર સરકાર મહિલા અધિકારી સામે તાત્કાલિક અસરથી પગલા ભરે.
NCP leader Jitendra Awhad in Mumbai: We demand immediate suspension of IAS officer Nidhi Choudhari for her derogatory tweet against Mahatma Gandhi. She gloried Nathuram Godse, this should not be tolerated. (pic of tweet by IAS Nidhi Choudhari on May17,she later deleted the tweet) pic.twitter.com/Ir2lMldQmW
જો કે, ગાંધીજીના ફોટા બાબતેની ટ્વીટ બાદ વિવાદ વકરતા નિધિ ચૌધરીએ પોતાના એકાઉન્ટ પરથી ડિલીટ કરી દીધું હતું. ત્યાર બાદ તેણીએ લખ્યું કે, 17 મેનાં પોતાનાં ટ્વીટને મે ડિલિટ કરી દીધું, કારણ કે મારા ટ્વીટને લોકોએ ખોટી રીતે લીધું.
આ સાથે જે નિધિએ લખ્યું કે જો તેઓ 2011થી મારા ટાઇમલાઇનને ફોલો કરી રહ્યા હોત તો તેઓ સમજી શખ્યા હોત કે હું ગાંધીજીનો અનાદર કરવા અંગે વિચારી પણ શકુ નહી, હું તેમની સામે સંપુર્ણ શ્રદ્ધા સાથે નમન કરું છુ અને મારા અંતિમ શ્વાસ સુધી એવું કરતી રહીશ.