2024માં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી પોતાના દમ પર ચૂંટણી લડશે કે પછી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના મુખિયા શરદ પવાર દ્વારા કરવામાં આવેલ મહાગઠબંધન દ્વારા આગળ વધશે?
અમે કોંગ્રેસ પાર્ટીને જોડે લઈને જ આગળ વધીશું
શરદ પવારના વિપક્ષના મોટા નેતાઓની બેઠક યોજાઇ
રાહુલ ગાંધીએ બધા નેતાઓને ચા પીવડાવવી જોઈએ
અમે કોંગ્રેસ પાર્ટીને જોડે લઈને જ આગળ વધીશું
2024માં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી પોતાના દમ પર ચૂંટણી લડશે કે પછી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના મુખિયા શરદ પવાર દ્વારા કરવામાં આવેલ મહાગઠબંધન દ્વારા આગળ વધશે? આ વાતનો જવાબ્ કોંગ્રેસ પાર્ટી દ્વારા આપવનો બાકી છે પણ શરદ પવારે કહ્યું કે અમે કોંગ્રેસ પાર્ટીને જોડે લઈને જ આગળ વધીશું. રાષ્ટ્ર મંચ પર જોડાયેલ અને વિપક્ષના બધા જ નેતાઓને એકત્રિત કરવામાં લાગેલા શરદ પવારે કહ્યું કે જો અમે કોઈ વૈકલ્પિક તાકાત ઊભી કરીશું તો તેમાં કોંગ્રેસને સાથે જ રાખીશું.
શરદ પવારના વિપક્ષના મોટા નેતાઓની બેઠક યોજાઇ
એનસીપી અને કોંગ્રેસની સાથે હાથ મિલવાનાર વાળી શિવસેનાએ દાવો કર્યો છે કે પ્રધાનમંત્રી નેરેન્દ્ર મોદીના હાવ ભાવ બદલાઈ ગયા છે. તેમણે કહ્યું "તેમને ખબર છે કે દેશની સ્થિતિ તેમના હાથમાંથી નીકળી ગઈ છે. લોકોનો આક્રોશ બાદ પણ ભાજપ અને કેન્દ્ર સરકારને આત્મ વિશ્વાસ છે કે તેમની સામે કોઈ પણ જાતનો ખતરો નથી કારણકે વિપક્ષ એકદમ નબળું અને અલગ અલગ છે. ભારતીય જનતા પાર્ટીની સામે ત્રીજા મોરચાની સંભાવના હવે વધુ પાક્કી થઈ રહી છે. આ બધા વચ્ચે શરદ પવારે TMC, સમાજવાદી પાર્ટી, આમ આદમી પાર્ટી, રાષ્ટ્રીય લોક દળ, અને લેફ્ટ સહિત કુલ આઠ વિપક્ષી પાર્ટીઓબના નેતાઓ સાથે દિલ્હી સ્થિત પોતાના ઘરે બેઠક કરી હતી.
રાહુલ ગાંધીએ બધા નેતાઓને ચા પીવડાવવી જોઈએ
બીજી બાજુ વાત કરીએ તો આ બેઠકમાં ભાગ લેનાર નેતાઓએ કહ્યું કે રાષ્ટ્રીય મંચ દ્વારા એક જેવુ વિચારવા વાળા વ્યક્તિઓની આ "ગેર રાજનૈતિક" બેઠક હતી. TMC ના ઉપાધ્યક્ષ યશવંત સિન્હાએ આ રાષ્ટ્રીય મંચ બીજા લોકો સાથે મળીને બનાવવામાં આવ્યો છે. શિવસેનાના સંપાદકમાં લખ્યું છે કે, રાહુલ ગાંધીએ બધી જ પાર્ટીઓને સાથે લાવવા માટે શરદ પવાર સાથે હાથ મિલાવી લેવો જોઈએ. સાથે તેમાં સલાહ પણ આપવામાં આવી કે રાહુલ ગાંધીએ વિપક્ષી પાર્ટીના નેતાઓ સાથે બેસીને ચા પીવી જોઈએ. પણ પછી તેમના નેતૃત્વ પર સવાલ ઉઠે છે