મુંબઇ એનસીબીએ કોમેડીયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિમ્બાચીયાના કેસ સાથે જોડાયેલા 2 અધિકારીઓને સસપેન્ડ કરી દેવામાં આવ્યા છે. ભારતી અને હર્ષને જામિન પર મુક્ત કરી દેવામાં આવ્યા હતા.
ભારતી-હર્ષ કેસમાં આવ્યો નવો વળાંક
તપાસ કરતા અધિકારીઓને કરાયા સસપેન્ડ
સુશાંત કેસમાં એનસીબીની પકડ ભારતી સુધી
સૂત્રો અનુસાર ભારતી અને હર્ષ તેમજ કરિશ્માના કેસની તપાસ કરી રહેલા આ 2 ઓફિસરને જામિનની અર્જીની સુનાવણી વખતે કોર્ટમાં હાજર ન રહેતા સસપેન્ડ કરી દેવામાં આવ્યા છે.
ભારતી અને હર્ષના જામિન રદ્દ કરવાની માંગ
ભારતી અને હર્ષના ઘરેથી 86 ગ્રામ ગાંજો મળ્યો તે બાદ 21 નવેમ્બરે તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી. બાદમાં 15 15 હજારના દંડ બાદ તેમને જામિન આપવામાં આવ્યા હતા. હવે તેવી માંગ ઉઠી રહી છે કે તેમની જામિન કેન્સલ કરવામાં આવે અને ન્યાયિક તપાસ માટે જેલમાં મોકલવામાં આવે. દંપતિને નોટીસ મેકલવામાં આવી છે અને આવતા અઠવાડિયે આ કેસમાં સુનાવણી થઇ શકે છે.
ભારતીએ શું આપી દલીલ
ભારતી સિંહના વકીલ અયાઝ ખાને જામિન માટે અરજી કરવામાં આવી હતી પરંતુ જેટલો ગાંજો ભારતીના ઘરેથી મળ્યો હતો તે માદર પદાર્થ રાખવા પર પ્રતિબંધ છે તેના કરતા ઓછી માત્રામાં હતો. આ દલીલ બાદ જામિન મેળવ્યા હતા.
અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ તપાસ થતા ડ્રગ એન્ગલ સામે આવ્યો હતો અને રિયા બાદ શૉવિકની પણ ધરપકડ થઇ હતી. બાદમાં આ કેસ ભારતી સુધી પહોંચ્યો છે.