બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત
સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Navsari APMC market water-water, state highway also stalled, see scenes
Priyakant
Last Updated: 12:36 PM, 12 July 2022
નવસારીમાં આવેલા વરસાદે લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. નવસારી શહેરમાં થયેલા ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. સાથે લોકોના ઘરમાં પણ પાણી ભરાયા છે. જેને કારણે ઘરવખરીને નુકસાન થયું છે. આ સાથે પૂર્ણા નદી ગાંડીતૂર થતાં નવસારીમાં તારાજી સર્જી છે. જેને લઈ APMC માર્કેટમાં પણ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. આ સાથે ભારે વરસાદને પગલે સુરત-નવસારીને જોડતો માર્ગ પણ બંધ થઈ ગયો છે.
નવસારીની પૂર્ણા નદીમાં જળસ્તર 27 ફૂટે પહોંચ્યા
નવસારીમાં ભારે વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારમાં 5 ફૂટ પાણી ભરાયા હતા. આ સાથે પૂર્ણ નદીમાં પાણી વધતા ખાડીઓ છલકાઇ ગઈ છે. તો વળી શહેરના વિરાવળ જકાતનાકા નજીક રસ્તા પર પાણી ફરી વળ્યા છે. નવસારી-સુરત સ્ટેટ હાઇવે પર પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે. પાણી ભરાતા હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. વિગતો મુજબ ભેંસતખાડા વિસ્તારમાં 100થી વધુ ઘરમાં પાણી ઘૂસી જતાં 450 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. અત્યાર સુધી 2 હજારથી વધુ લોકોને સ્થળાંતરિત કરાયા છે.
પાલિકા અને NGOએ 4 હજાર લોકોનું રસોડું કર્યું તૈયાર
નવસારીમાં આવેલા વરસાદે લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. લોકોના ઘરમાં પણ પાણી ભરાયા છે. જેને કારણે ઘરવખરીને નુકસાન થયું છે. જેથી નવસારી પાલિકા અને NGOએ સાથે મળીને અસરગ્રસ્ત લોકોના ભોજનની વ્યવસ્થા કરી છે. બન્નેએ સાથે મળીને અસરગ્રસ્ત લોકો માટે 4 હજાર લોકોનું રસોડું તૈયાર કર્યું છે. જેમાં પૂરથી અસરગ્રસ્ત લોકોને ભોજન આપવામાં આવશે..
ભારે વરસાદને પગલે સુરત-નવસારીને જોડતો માર્ગ બંધ
નવસારીમાં ભારે વરસાદને કારણે તારાજી સર્જાઇ છે. આ તરફ વરસાદને કારણે વેરાવળ વિસ્તારનો રીંગરોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. રીંગરોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે. લંગડાવાડ, ગધેવાન APMC માર્કેટ સહિતના વિસ્તારમાં પાણી ભરાયા તો ભારે વરસાદને પગલે સુરત-નવસારીને જોડતો માર્ગ પણ બંધ થઈ ગયો છે.
નવસારીમાં ભારે વરસાદ બાદ સ્થિતિ કફોડી બની
નવસારીમાં ભારે વરસાદને કારણે કસ્બામાં અન્નપૂર્ણા મંદિરમાં પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. નવસારી-સુરતને જોડતા રોડ ઉપર પણ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. તો વળી હજુ પણ રોડ પર 3 ફૂટ જેટલા પાણી ભરાયા હોવાથી નદી અને રોડ એક જ સપાટીએ આવી ગયા છે. આ સાથે નવસારીના કાદીપોર વિસ્તારમાં પાણી ભરાઈ જવાને કારણે સોસાયટી વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે. મોડી રાતથી પાણી ભરાવાના શરૂ થયા બાદ પૂર્ણા નદી ઓવરફ્લો થતા પાણી સોસાયટીમાં ઘૂસ્યા છે.
નવસારીના શાંતાદેવી રોડ વિસ્તારમાં ભરાયા પાણી
નવસારીમાં આવેલા વરસાદે લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. ગઈકાલે આવેલા વરસાદને કારણે હજુ અનેક વિસ્તારોમાં પાણી ઓસર્યા નથી. નવસારી શહેરના શાંતાદેવી રોડ વિસ્તારમાં ગઈકાલે સાંજે પાણી ભરાયા હતા. આ પાણી હજુ સુધી ઓસર્યા નથી. જેને કારણે 1 હજાર 500થી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે.
રેલવે ટ્રેક પર ચાલીને લોકો પાણી જોવા નીકળ્યા
નવસારીમાં ભરાયેલું પાણી જોવા લોકો સાવચેતી ભૂલીને જીવના જોખમે રેલવે ટ્રેક પર પહોંચ્યા હતા. જેને લઈ કુદરતની આફતના સમયે લોકો જીવને જોખમમાં મુકી રહ્યા હોવાનું સામે આવ્યું છે. જોકે રેલવે પ્રશાસન સમગ્ર મામલાથી અજાણ હોવાનું પણ સામે આવ્યું છે.
નવસારીમાં પૂર્ણા નદીનું તોફાની સ્વરૂપ, રસ્તે ફસાયેલા દંપતિનું રેસ્ક્યુ કરાયું
શહેરના નીચાણવાળા વિસ્તારમાં કાશીવાડી, ગધેવાન બંગલો, કાલિયાવાડી સોસાયટી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. રોડ ઉપર અંદાજે 8 ફૂટથી વધુ પાણી ભરાયા છે. જેને લઈ હવે નવસારીના નીચાણવાળા વિસ્તાર અલર્ટ મોડ ઉપર હોઇ પૂર્ણા નદીના બ્રિજ ઉપરથી અવરજવર બંધ કરવામાં આવી છે. નવસારીમાં રસ્તે ફસાયેલા દંપતિનું રેસ્ક્યુ કરાયું છે. વિગતો મુજબ નવસારીમાં વરસાદથી જનજીવનને અસર પહોંચી છે. જેને લઈ ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરાયું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / હાર માને એ બીજા વડોદરાના તપનદાસ ગુપ્તા નહીં! છઠ્ઠીવાર નોંધાવી ઉમેદવારી,જાણો કોણ છે વ્યક્તિ
Tapandas Gupta
કામની વાત / એક દિવસમાં કેટલી ખાંડ ખાવી જોઈએ? જો માપ કરતા વધારે આરોગશો તો મર્યા સમજો
Health News