પવન ફૂંકાતો હોવાથી અને વરસાદના કારણે ઘણી જગ્યાએ વીજળીના થાંભલા ઉખડી ગયા છે. પરિણામે ઘણાં વિસ્તારોમાં વીજળી પહોંચી રહી નથી. તટીય વિસ્તારોમાં આવેલા ઘરોને પણ નુકસાન પહોંચ્યું છે. પ્રશાસને મદદ માટે એનડીઆરએફની નવ ટીમને પ્રભાવિત વિસ્તારમાં તહેનાત કરી છે. ગુરુવારે-શુક્રવારે દરેક સ્કૂલ કોલેજમાં રજા જાહેર કરી દીધી છે.
14 કિમી પ્રતિ કલાકની સ્પીડથી આગળ વધી રહ્યું છે ચક્રવાત:
હવામાન વિભાગે જણાવ્યું કે ચક્રવાત ગાજા 14 કિમી પ્રતિ કલાકની સ્પીડથી આગળ વધી રહ્યું છે. તમિલનાડુ દક્ષિણ આંધ્ર અને પોંડિચેરી તટ પર ઉંચી લહેરો ઉઠવાની આશંકા છે. માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. તમિલનાડુમાં એનડીઆરએફની નવ અને પોંડિચેરીમાં બે ટીમ તહેનાત છે. તે સિવાય 31 હજાર બચાવ કર્મીઓ અને એસડીઆરએફને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. જેથી જરૂર પડે ત્યારે તેમની મદદ લઈ શકાય.
સાત જિલ્લામાં સૌથી વધારે વરસાદ:
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે તમિલનાડુના ઉત્તરી અને દક્ષિણ તટીય વિસ્તારોમાં ગુરુવારે મોડી રાતથી જ ભારે વરસાદ થઈ રહ્યો છે. કુડ્ડાલોર નાગાપટ્ટનમ તિરુવરુર થંજાવુર પડ્ડુકોટ્ટાઈ તૂતિકોરિન અને રામનાથપુરમમાં ભારે વરસાદ થઈ રહ્યો છે.
મૃતકોના પરિવારને રૂ. 10-10 લાખની મદદ:
પડ્ડુકોટ્ટાઈ જિલ્લામાં એક મકાન ધરાશાયી થવાની ચાર યુવકોના મોત થયા છે જ્યારે 3 મહિલાઓ ઘાયલ થઈ છે. થંજાવુર અને તિરુવરુર જિલ્લામાં સાત લોકોના જીવ ગયા છે. રાજ્ય સરકારે મૃતકોના પરિવારને રૂ. 10-10 લાખની સહાયજાહેર કરી છે. હાલ વાવાઝોડાના કારણે થયેલા નુકસાનની માહિતી ભેગી કરવામાં આવી રહી છે.
પરીક્ષાઓ રદ સ્કૂલ-કોલેજ બંધ:
અન્ના યૂનિવર્સિટીમાં રાખવામાં આવેલી સેમિસ્ટર પરીક્ષાઓ રદ કરવામાં આવી છે. જ્યારે ટેક્નીકલ ડિપ્લોમા કોર્સની પરીક્ષાઓની તારીખ 24 નવેમ્બર સુધી વધારવામાં આવી છે. રાજ્યના તંજુવર ત્રિરુવરુર નાગપટ્ટનમ રામનાથપુરમ પુડુકોટ્ટાઈ અને પોડીચેરીના કરાઈકલ જિલ્લામાં સ્કૂલ કોલેજ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.