કોરોના વાયરસને નિયંત્રણમાં લાવવા માટે આખો દેશ એકજુટ નજરે પડી રહ્યો છે. કોંગ્રેસની સાથે-સાથે તમામ વિપક્ષી પાર્ટીઓએ કોરોનાની જંગમાં મોદી સરકારને સાથ આપવાની વાત કહી છે. ત્યારે દેશની વર્તમાન સ્થિતિ પર મંથન કરવા માટે કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પહેલ કરી છે.
કોરોના વાયરસને નિયંત્રણમાં લાવવા માટે આખો દેશ એકજુટ
પૂર્વ પીએમ ડૉ. મનમોહન સિંહની અધ્યક્ષતામાં 11 પાર્ટી સભ્યોના સલાહકાર સમૂહની રચના કરાઇ
તેઓએ વિભિન્ન મુદ્દાઓ પર પાર્ટીના વિચારોને જાણવા માટે પૂર્વ પીએમ ડૉ. મનમોહન સિંહની અધ્યક્ષતામાં 11 પાર્ટી સભ્યોના સલાહકાર સમૂહની રચના કરી છે. રાહુલ ગાંધી અને પી ચિદમ્બરમને સલાહકાર સમૂહમાં સામેલ કરાયા છે.
Congress interim president Sonia Gandhi constitutes a consultative group of 11 party members, chaired by former Prime Minister Dr. Manmohan Singh, to formulate views of the party on various issues. Rahul Gandhi and P Chidambaram, also among the members. pic.twitter.com/WXPQpWndkr
આ ઉપરાંત રાહુલ ગાંધી, કેસી વેણુગોપાલ, મનીષ તિવારી, જયરામ રમેશ, પ્રવીણ ચક્રવર્તી, ગૌરવ વલ્લભ, સુપ્રિયા શ્રીનેત અને રોહન ગુપ્તા પણ સલાહકાર સમૂહમાં સામેલ કરાયા છે. સલાહકાર ગ્રુપના સભ્યો રોજ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાશે અને વર્તમાન સ્થિતિ પર વિચાર કરશે અને અલગ-અલગ મુદ્દાઓ પર પાર્ટીના વિચાર સાંભળશે.
નોંધનીય છે કોરોના વાયરસની વિરુદ્ધ જારી જંગમાં કોંગ્રેસે પણ મોદી સરકારનું સમર્થન કર્યું છે. સોનિયા ગાંધીએ પોતાના વીડિયો સંદેશમાં આ સંકટના સમયે લોકોને પોતાની પાર્ટી તરફથી પૂર્ણ સહયોગ કરવાનું આશ્વાસન આપ્યું.
તેઓએ સાથે વિશ્વાસ અપાવ્યો કે મજબૂત જુસ્સા સાથે દેશ જલ્દી જ આ સંકટ પર વિજય પ્રાપ્ત કરશે. તેઓએ લોકોને અપીલ કરી કે હું આશા કરું છું કે આપ તમામ લૉકડાઉનનું પૂર્ણ પાલન કરી રહ્યા હશો. આપ સૌ સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરજો. સોનિયા ગાંધીએ એમ પણ કહ્યું કે સૌના સહયોગ વિના આ લડાઇને જીતવી સંભવ નથી. ત્યારબાદ ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ ટ્વીટ કરી કહ્યું, આભાર સોનિયા જી, આપના સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો.
સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, ગત 24 કલાકમાં જ કોરોના સંક્રમણને કારણે 43 લોકોના મોત થઇ ગયા છે. જ્યારે 991 નવા કેસ નોંધાયા છે. દેશમાં કોરોના વાયરસના કુલ 14,378 કેસ નોંધાયા છે. જેમાંથી 11,906 એક્ટિવ કેસ છે. જ્યારે 1992 લોકો કોરોના બીમારીથી સ્વસ્થ્ય થયા છે અને અત્યાર સુધીમાં કુલ 480 લોકોના મોત થયા છે.