કોરોના મહામારીની શરૂઆતથી સૌથી વધુ અસરગ્રસ્ત મહારાષ્ટ્ર રહ્યું છે અને હવે જ્યારે દેશમાં કોરોનાની બીજી લહેર શરૂ થઇ છે ત્યારે પણ મહારાષ્ટ્રમાં જ રેકૉર્ડતોડ કેસ સામે આવી રહ્યા છે.
કોરોનાને અટકાવવા માટે નાસિકમાં લાગૂ થયો નિયમ
બજારમાં જવા કલાકના હિસાબથી આપવા પડશે પૈસા
5 રૂપિયાની ટિકિટ અપાશે જે એક કલાક સુધી માન્ય
દેશમાં કોરોનાને રોકવા માટે રાજ્યો દ્વારા અલગ અલગ ઉપાયો હાથ ધરવામાં આવી રહ્યા છે. કોઇક જિલ્લામાં લોકડાઉન, કોઇક જિલ્લામાં રાત્રી કર્ફ્યુ તો ક્યાંક 144 લાગૂ કરવામાં આવી રહી છે. તેવામાં હવે નાસિકમાં એક નવો નિયમ લાગૂ કરવામાં આવ્યો છે. માર્કેટમાં જતા લોકો માટે આ નિયમ લાગૂ પડશે.
બજારમાં જવા માટે આપવા પડશે 5 રૂપિયા
લોકોને ભીડભાડવાળા વિસ્તારમાં ન જવાની સલાહ આપવામાં આવી છે પરંતુ આની અસર નથી દેખાઇ રહી. તેવામાં નાસિકમાં એક નવો નિયમ શરૂ કરવામાં આવ્યો છે. અહીં રહેતા લોકોને હવે દરેક વખતે બજારમાં જવા પર પ્રતિ વ્યક્તિ 5 રૂપિયા ચુકવવા પડશે.
5 રૂપિયાની ટિકિટ અપાશે જે એક કલાક સુધી માન્ય
ટાઈમ્સ ઑફ ઇન્ડિયાના સમાચાર અનુસાર, માર્કેટમાં જતા દરેક વ્યક્તિએ 5 રૂપિયા ચૂકવ્યા બાદ એક ટિકિટ આપવામાં આવશે જે આગામી 1 કલાક સુધી માન્ય રહેશે. જો કોઇ પણ વ્યક્તિ એક કલાકથી વધુ સમય લગાવે છે તો તેને 500 રૂપિયા દંડ ભરવો પડશે.
એકઠા થતા રૂપિયાનો કોરોનાથી જોડાયેલી સુરક્ષા માટે કરાશે
આ પાંચ રૂપિયા નાસિક નગર નિગમ એકઠા કરશે અને તેનો ઉપયોગ કોરોનાથી જોડાયેલી સુરક્ષા સેનેટાઇઝેશન પ્રક્રિયા પર ખર્ચ કરવામાં આવશે. ત્યારે, પોલીસ બજારવાળા વિસ્તારોમાં નિયમને કડકાઇથી લાગૂ કરવામાં કામ કરશે.
આ નિયમ કયા લાગૂ પડશે?
નવો નિયમ શહેરના મેન માર્કેટ, નાસિક માર્કેટ કમિટી, પવન નગર માર્કેટ, અશોક નગર માર્કેટ અને કલાનગર માર્કેટમાં લાગૂ થશે. માર્કેટમાં એન્ટ્રી માટે માત્ર એક જ રસ્તો હશે. લોકોને એન્ટ્રીના સમયે જ 5 રૂપિયાની ટિકિટ લેવી પડશે.
વેપારી અને દુકાનદાર માટે પાસ અને આસપાસમાં રહેતા લોકો માટે ઓળખ પત્ર જરૂરી
ત્યારે, શાકભાજી વેપારી, દુકાનદાર માટે પાસ જાહેર કરવામાં આવ્યા છે. જે લોકો માર્કેટ વિસ્તારમાં રહે છે તેમના ઓળખ પત્ર બાદ અંદર ઘુસવા દેવામાં આવશે.
જણાવી દઇએ કે માર્ચ મહિનામાં જ મહારાષ્ટ્રમાં કોરોનાના અંદાજિત 6 લાખ નવા કેસ દાખલ થઇ ચૂક્યા છે. અહીં કોરોનાથી થનારા મોતોનો આંકડો પણ માર્ચમાં 2 હજારને પાર પહોંચી ચૂક્યો છે.