બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત
સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Narmada canal water Surendranagar farmers VTV News report impact
Hiren
Last Updated: 09:16 PM, 29 April 2022
સુરેન્દ્રનગર જિલ્લો સૌરાષ્ટ્રનું પાણિયારું ગણાય છે. એશિયાનું સૌથી મોટું પમ્પિંગ સ્ટેશન અહીં ઢાંકીમાં આવેલું છે પણ નર્મદાનું પાણી લેવલ ઘટતા નર્મદા વિભાગે સિંચાઇ માટે કેનાલો બંધ કરી હતી. વઢવાણ તાલુકાના 40થી વધુ ગામોના ખેડૂતો નર્મદાના પાણી આપવાની માંગ અનેક વાર કરી થાક્યા હતા. ખેડૂતોનો ઉનાળુ પાક અને પશુધનના ઘાસચારા માટે વાવેતર કરેલો જુવારનો પાક નષ્ટ થવાના આરે હતો. ખેડૂતોની આ વેદનાનો અહેવાલ VTVએ પ્રસારિત કર્યો હતો. જે બાદ પ્રશાસન દ્વારા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે.
ખેડૂતોની આ માગનો અહેવાલ VTV NEWS પર પ્રસારિત કરાયો હતો. ત્યારે હવે સુરેન્દ્રનગરમાં VTVના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે. VTV ન્યૂઝ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં પાણી ન છોડવા મામલે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે. નર્મદા વિભાગે પાણી કેનાલમાં છોડતા ખેડૂતોના મુરઝાતા પાકને જીવતદાન મળ્યું છે.
ઉનાળુ પાકને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેતા ખેડૂતોમાં ખુશીનો માહોલ
ત્યારે ખેડૂતોએ VTVનો આભાર વ્યક્ત કર્યો છે. ઉનાળુ પાકને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેતા હાલ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ખેડૂત અગ્રણી મોહનભાઇ પટેલ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાંમાં આવી હતી. પરંતુ અંતે VTVના અહેવાલ બાદ સાંસદ, ધારાસભ્ય અને કલેક્ટરે એક મિટિંગ બોલાવીને કેનાલમાં પાણી છોડવાનો નિર્ણય લેવાયો છે. ખેડૂતોની વાચાને એક મજબૂત માધ્યમ મળતા કેનાલમાં પાણી છોડ્યા હતા.
કેનાલોમાં પાણી છોડવામાં આવે તેવી ખેડૂતો દ્વારા કરાઈ માગ
સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોએ મોટા પ્રમાણમાં ઉનાળુ પાક વાવ્યો છે. પશુધનને ઘાસચારો પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે હજારો હેક્ટરમાં ઉનાળુ જુવારના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. કેનાલ બંધ થતા ખેડૂતોને હવે તૈયાર થયેલા પાકને છેલ્લું પાણી આપવાનું હતું. પાકને બચાવવા માટે છેલ્લું પિયત બાકી હતું. નર્મદાની કેનાલો ખાલીખમ હતી. આથી મોલાતને જીવનદાન મળે, અને તે માટે ખેડૂતો અધીરા બન્યા હતા. કેનાલોમાં પાણી છોડવામાં આવે તેવી માગ ખેડૂતો દ્વારા કરાઈ હતી. અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પાણી છોડવામાં આવતુ ન હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરાયો હતો.
VTV ન્યૂઝ દ્વારા પ્રસારિત કરાયો હતો અહેવાલ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / હાર માને એ બીજા વડોદરાના તપનદાસ ગુપ્તા નહીં! છઠ્ઠીવાર નોંધાવી ઉમેદવારી,જાણો કોણ છે વ્યક્તિ
Tapandas Gupta
આદેશ / 'ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર નહીં લગાવો તો...', ખાનગી શાળાઓ વિરૂદ્ધ અમદાવાદ DEOની લાલ આંખ
Ahmedabad news