AAPના પ્રદેશ ચૂંટણી ઇન્ચાર્જ ગુલાબસિંહનું મોટું નિવેદન
વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ જ નહીં દરેક પક્ષ પોતાની મજબુતી સ્થાપવા માટે પ્રયત્નશીલ છે. ત્યારે દરેક મોરચે સક્રિય થઈ રહેલી આમ આદમી પાર્ટી ચુંટણી લડવા માટે સક્રિય થઈ રહી છે. એવામાં હવે નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશવાના મામલે આમ આદમી પાર્ટીના ચૂંટણી ઈન્ચાર્જ નેતા ગુલાબસિંહે નિવેદન આપતાં ગુજરાતના રાજકારણમાં પુનઃ ગરમાવો વ્યાપી ગયો છે.
ગુલાબસિંહે જણાવ્યું હતું કે, નરેશ પટેલ સામાજિક સારા નેતા છે.નરેશ પટેલને અગાઉ હું મળ્યો છું, ખૂબ સારા વ્યક્તિ છે. તેમણે નરેશ પટેલને ગુજરાતના લોકોનું ભલું કરવા એક સાથે એક પ્લેફોર્મ પર આવે તેવું કહી AAPમાં જોડાવવાની વાત કહી હતી. જે બાદ ગુજરાતના રાજકારણમાં પુનઃ ગરમાવ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ વર્ષના અંતે યોજનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં શિક્ષણ, આરોગ્ય સેવા દિલ્લી મોડેલ જેવા વિવિધ મુદ્દા પર ચૂંટણી લડશે. તેમજ AAP રાજ્યની 182 બેઠકો પર પોતાના ઉમેદવાર ઉભા કરીને ચૂંટણી લડશે. તેમ જણાવ્યું હતું.
આમ આદમી પાર્ટી દરેક મોચરે સક્રિય થઈ રહી છે
ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટી દરેક મોચરે સક્રિય થઈ રહી છે. એવામાં હવે આમ આદમી પાર્ટીના નેતા ગુલાબસિંહેએ ખોડલધામના મુખ્ય ટ્રસ્ટી નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશ અંગે આપેલી ટિપ્પણી બાદ હવે સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. મહત્વનું છે કે, રાજકોટ, સૌરાષ્ટ્ર-કચ્છની 58 પૈકી આશરે 20 બેઠક પર પટેલ સમાજના મતો નિર્ણાયક છે. એવામાં હવે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ પટેલ સમાજના મતો પર એક આગવું પ્રભુત્વ ધરાવે છે.