રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચાનો જવાબ આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પાર્ટી પર નિશાનો સાધ્યો છે.
આ દરમિયાન પ્રધાનમંત્રીએ સરદાર પટેલના મુદ્દા પર કોંગ્રેસને ધેર્યુ અને સાથે જ રાજ્યસભામાં કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ પર કટાક્ષ કર્યો. તેમણે કહ્યુ કે, ''ગુલામ નબી જી, થોડા દિવસો તો પસાર કરો ગુજરાતમાં... ''
સરદાર પટેલના મુદ્દા પર કોંગ્રેસને કટાક્ષ કરતા PM મોદીએ કહ્યુ કે, ''સરદાર પટેલ કોંગ્રેસના મોટા નેતા હતા, પરંતુ તેઓ માત્ર ગુજરાતના જ કોંગ્રેસના પોસ્ટરમાં દેખાતા હતા, પરંતુ દેશના પોસ્ટરમાં ના દેખાતા.'' તેમણે આગળ કહ્યુ કે, ''અમે સરદાર સાહેબની સૌથી મોટી મૂર્તિ બનાવી, હું કહેવા ઇચ્છુ છું કે કોંગ્રેસના નેતા ત્યાં જાય અને પુષ્પો ચઢાવીને આવે.''
આ સિવાય કહ્યુ કે, ''ગુલામ નબી જી... કેટલાક દિવસો તો પસાર કરો ગુજરાતમાં..'' આ પછી સંસદમાં રહેલા તમામ લોકો હસવા લાગ્યા.
सरदार साहब के सम्मान में हमने जो स्टेचू ऑफ यूनिटी बनाया हैं, मैं आग्रह करूंगा कि कांग्रेस के सबसे बड़े नेता एक बार तो वहां जाकर श्रद्धा सुमन अर्पित करके आएं।
मैं गुलाम नबी जी से भी अनुरोध करूंगा 'कुछ दिन तो गुजारिये गुजरात में': पीएम मोदी pic.twitter.com/GmdatyUlAQ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ દરમિયાન એક શાયરી સંભળાવતા કહ્યુ કે, '' ताउम्र ग़ालिब ये भूल करता रहा, ताउम्र ग़ालिब ये भूल करता रहा,धूल चेहरे पर थी और मैं आइना साफ़ करता रहा'.''
PM મોદીએ કહ્યુ કે, ''જ્યારે સરદાર સરોવર ડેમ ઑવરફ્લો થાય છે તો મધ્ય પ્રદેશમાં દિગ્વિજય સિંહની સરકાર હતી. ડેમની પાસે લોકોને જવા દેવામાં ના આવતા, જ્યારે હું ત્યાંનો મુખ્યમંત્રી બન્યો તો અમે લોકોને જવા દીધા. અમે ડેમની ફોટો પાડવા દીધી, લોકો માટે ટિકિટ રાખી. ત્યાં જનારો પાંચ લાખમો ટૂરિસ્ટ બારામૂલાનો એક દંપત્તિ હતુ, જેઓને અમે સન્માનિત કર્યા.''
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ દરમિયાન કટાક્ષ કરતા કહ્યુ કે, ''હું તો કહુ છું કે કોંગ્રેસ સરદાર પટેલી મૂર્તિ પાસે જઇને પોતાની વર્કિંગ કમિટિને બેઠક કરવી જોઇએ. તેઓ તમારા જ નેતા હતા, અમે તો સતત અમારા તરફથી શ્રદ્ઘાંજલિ આપી રહ્યા છીએ.''