એક સમયમાં હરવા ફરવા માટેનું પાટણનું જાણીતું પીકનીક સ્થળ 'આનંદ સરોવર' આજે વેર વિખેર થઇ ગયું છે. આ સરોવર છેલ્લા કેટલાય સમયથી વેરાન થઇ ગયું છે. નગરપાલિકાની બેદરકારીથી આ જોવા લાયક સ્થળનો વિકાસ થતો નથી. રમતગમતના સાધનો તેમાજ બોશટગ સહિતના કેટલાક સાધનો મૃતપ્રાય હાલતમાં પડી રહ્યા છે. પાલિકાની કુંભકર્ણની નિંદ્રાથી આનંદ સરોવરનો આનંદ ખોવાઇ ગયો છે. વર્ષ 2008માં આનંદીબેન પટેલના હસ્તે આ સરોવરનું લોકાર્પણ કરાયું હતું.
આનંદ સરોવરમાં અત્યારે જ્યાં જોવો ત્યાં દારૂની મહેફિલ કરેલ ખાલી બોટલો અને ટીન જોવા મળી રહ્યા છે. સરોવરના બગીચાઓમાં દારૂડીયાએ પોતાનો અડ્ડો બનાવી રાખ્યો છે ખુલ્લે આમ પીને ધમક કરતા નજરે પડે છે. આ ઉપરાંત જુગારીયાઓ ખુલ્લેઆમ તેમનો અડ્ડો બનાવી દીધો છે.
ગાંજાના રસિકો અહી આવીને પોતાની મહેફિલ માને છે તો ઓછું હોય તેમ સ્કુલ કોલેજના પ્રેમી પંખીડાઓ તમામ હદો પાર કરતા ધોળા દિવસે આનંદ સરોવરની ઝાડીઓમાં જોવા મળી રહ્યા છે જેમને જોઇને આવતા લોકોના માથા શરમથી જુકી જાય છે.
પીવાના પાણીની ટાંકીઓ સોભાના ગાંઠીયા જેવી બની ગઈ છે. મોટા ભાગના બાગ બગીચા ઉજ્જડ બની જવા પામ્યા છે અને ઓપન થીયેટર વેરાન થીયેટર થઈને પડ્યું છે બેસવાના બાંકડાઓ સહીત બાળકોના રમત ખેલ કુદના સાધનો વેર વિખેર હાલતમાં પડ્યા છે.
આ ઉપરાંત જ્યાં નૌકા વિહાર કરવામાં આવતું હતું ત્યાં આજે તેનું નામ નિશાન રહ્યું નથી. બોટ તેમજ તેના તમામ સાધનો ગુમ થઇ રહ્યા છે. રાત્રીના સમયે અનેતિક ગોરખ ધંધા પણ થાય છે.