કોંગ્રેસે આ વખતે 6 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી છે તેમજ જમાલપુર ખાડિયા બેઠક પર સૌથી વધુ 61 ટકા મુસ્લિમ મતદારો છે
કોંગ્રેસે આ વખતે 6 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી છે
ગુજરાતમાં 9.67 ટકા (58 લાખથી વધુ) મુસ્લિમ વસ્તી છે
જમાલપુર ખાડિયા બેઠક પર સૌથી વધુ 61 ટકા મુસ્લિમ મતદારો
ગુજરાતની ચૂંટણીમાં તમામ પક્ષો વિકાસના મુદ્દા પર લડવા માંગે છે, ધર્મ અને જાતિના સમીકરણ આધીન પણ કેટલીક ટિકિટો આપવામાં આવતી હોય છે. ગુજરાતના રાજકારણમાં મુસ્લિમ વોટબેંક પણ એટલી જ મહત્વની છે જે કોઈપણ પક્ષને જીતાડવામાં કે હારાવવામાં મોટી મદદ કરી શકે છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી જંગમાં મુસ્લિમોને ઓછી ટિકિટ અપાતી હોય છે એટલું જ નહીં પરંતું જે મુદ્દે રાજકીય પક્ષો ચર્ચાઓ ટાળે છે.
કોંગ્રેસે આ વખતે 6 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી છે
ગુજરાતમાં લગભગ 10 ટકા મુસ્લિમ મતદારો છે, જેઓ લાંબા સમયથી કોંગ્રેસને મત આપી રહ્યા છે. કોંગ્રેસે તેની વોટબેંકનું ધ્યાન રાખ્યું છે અને મુસ્લિમ ઉમેદાવરોને ગુજરાત વિધાનસભામાં ઉતાર્યા છે. કોંગ્રેસે આ વખતે 6 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી છે. ત્રીજા વિકલ્પ તરીકે ઉભરી આવવાનો પ્રયાસ કરી રહેલી આમ આદમી પાર્ટીએ પણ બે બેઠકો પર મુસ્લિમ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. બીજી તરફ અસદુદ્દીન ઓવૈસીની AIMIMએ અત્યાર સુધી 14માંથી 12 બેઠકો પર મુસ્લિમ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.
ગુજરાતમાં 9.67 ટકા મુસ્લિમ છે.
2011ની વસ્તી ગણતરીના અહેવાલ મુજબ, ગુજરાતમાં 9.67 ટકા (58 લાખથી વધુ) મુસ્લિમ વસ્તી છે. અહીં શહેરોમાં મુસ્લિમોની સંખ્યા 14.75 ટકા છે જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં તે 5.9 ટકા છે. રાજ્યમાં 20 વિધાનસભા બેઠકો છે જ્યાં મુસ્લિમ મતોથી જીત કે હાર નક્કી થઈ શકે છે. 34 વિધાનસભા બેઠકો પર મુસ્લિમ મતદારોની સંખ્યા 15 ટકાથી વધુ છે. જમાલપુર ખાડિયા બેઠક પર સૌથી વધુ 61 ટકા મુસ્લિમ મતદારો છે, દાણીલીમડા બેઠક પર 48 ટકા, વાગરા બેઠક પર 44 ટકા અને વેજલપુર બેઠક પર 35 ટકા મુસ્લિમ મતદારો છે. પરંપરાગત રીતે ગુજરાતના મુસ્લિમોએ કોંગ્રેસની તરફેણમાં મતદાન કર્યું છે.
મુસ્લિમોએ કોને કેટલા ટકા વોટ આપ્યા?
સીએસડીએસ પોસ્ટ પોલ સર્વે મુજબ કોંગ્રેસને ગુજરાતમાં 2002માં 77 ટકા મુસ્લિમ મતો, 2007માં 76 ટકા, 2012માં 65 ટકા અને 2017માં 62 ટકા મળ્યા હતા. બીજી તરફ જો ભાજપની વાત કરીએ તો 2002માં તેને માત્ર 12 ટકા મુસ્લિમ વોટ મળ્યા હતા જ્યારે 2007માં વધીને 17 ટકા તો 2012માં 22 ટકા અને ગત વિધાનસભાની ચૂંટણીમાં 27 ટકા મળ્યા હતા. આ આંકડાઓ સ્પષ્ટપણે બે બાબતો દર્શાવે છે, પ્રથમ કે કોંગ્રેસને સતત મુસ્લિમના સારા મતો મળ્યા છે, બીજું કે, સમયની સાથે ભાજપે પણ આ સમુદાયમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. 1995ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 10 મુસ્લિમ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ પછી તે થીયરી નિષ્ફળ ગઈ અને તમામ ઉમેદવારો હારી ગયા. આ પછી 2002ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા 5 મુસ્લિમ ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. કોંગ્રેસે 2007 અને ત્યારપછીની ચૂંટણીઓમાં ક્યારેય 6થી વધુ મુસ્લિમ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા ન હતા. ગત વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો કોંગ્રેસના ત્રણ મુસ્લિમ ઉમેદવારો જીત્યા હતા. આ વખતે પાર્ટીએ 6 મુસ્લિમ ઉમેદવારો પર દાવ લગાવ્યો છે.