બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / વિશ્વ / Music concert bombed: 80 killed, including famous singer

BIG NEWS / મ્યુઝિક કૉન્સર્ટ પર બોમ્બવર્ષા: પ્રખ્યાત સિંગર સહિત 80 લોકોના મોત, ભારતના પડોશી દેશમાં સેનાએ ક્રૂરતાની હદ વટાવી

Priyakant

Last Updated: 11:56 AM, 25 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાચિન જાતીયના મુખ્ય રાજકીય સંગઠનની વર્ષગાંઠની ઉજવણી દરમ્યાન લશ્કરી વિમાનોમાંથી ચાર બોમ્બ ફેંકવામાં આવ્યા

  • મ્યાનમારમાં એક મ્યુઝિક કૉન્સર્ટ પર બોમ્બવર્ષા 
  • કાચિન જાતીયના મુખ્ય રાજકીય સંગઠનની વર્ષગાંઠની ઉજવણીમાં બની ઘટના 
  • હવાઈ હુમલામાં 80 લોકો માર્યા ગયા અને લગભગ 100 લોકો ઘાયલ થયા

મ્યાનમારમાં બળવા દ્વારા સત્તામાં આવેલી સૈન્ય સરકાર દેશમાં લોહીની હોળી રમી રહી હોવાની સ્થિતિ બની છે. સામાન્ય લોકો અને નિર્દોષોની સતત હત્યા કરતી સેનાએ ફરી એકવાર આવું જ કંઈક કર્યું છે. હવે દેશમાં હવાઈ હુમલા કરવામાં આવ્યા છે. જેમાં ગાયકો અને સંગીતકારો સહિત 80થી વધુ લોકો માર્યા ગયાના સમાચાર સામે આવ્યા છે. બધાએ કાચિન જાતીયના મુખ્ય રાજકીય સંગઠનની વર્ષગાંઠની ઉજવણીમાં હાજરી આપી હતી. જૂથના સભ્યો અને એક બચાવ કાર્યકર્તાએ સોમવારે આ માહિતી આપી.

કાચિન આર્ટસ એસોસિએશનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, રવિવારે રાત્રે થયેલા હવાઈ હુમલામાં 80 લોકો માર્યા ગયા હતા અને લગભગ 100 લોકો ઘાયલ થયા હતા. તેમણે કહ્યું કે, સ્થળ પર લશ્કરી વિમાનોમાંથી ચાર બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. મ્યાનમારમાં વ્યાપક હિંસા અંગે ચર્ચા કરવા માટે દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશોના વિદેશ મંત્રીઓ ઈન્ડોનેશિયામાં એક વિશેષ બેઠક યોજવાના છે તેના ત્રણ દિવસ બાદ આ હુમલા થયા છે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં સૈન્ય બળવા પછી રવિવારની રાત્રિના સમારંભમાં થયેલ હવાઈ હુમલો એ એક જ હુમલામાં  પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં લોકો માર્યા ગયાની ઘટના બની છે. 

જોકે અહી મહત્વનું છે કે, સ્વતંત્ર રીતે ઘટનાની વિગતોની પુષ્ટિ કરવી અશક્ય છે. જોકે કાચિન પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા મીડિયા દ્વારા શેર કરવામાં આવેલા વીડિયો હુમલાના ભયાનક પરિણામો દર્શાવે છે. મિલિટરી ગવર્નમેન્ટ ઇન્ફર્મેશન ઑફિસે સોમવારે મોડી રાત્રે એક નિવેદનમાં પુષ્ટિ કરી કે, કાચિન સ્વતંત્રતા આર્મીની 9મી બ્રિગેડના મુખ્યમથક પર હુમલો કરવામાં આવ્યો હતો, તેને કાચિન જૂથ દ્વારા કરવામાં આવેલા "આતંકવાદી" કૃત્યોના જવાબમાં "જરૂરી ઓપરેશન" ગણાવ્યું હતું.

આ તરફ માહિતી કચેરીએ મોટી સંખ્યામાં જાનહાનિને "અફવાઓ" ગણાવી હતી અને નકારી કાઢી હતી કે, સૈન્યએ કોન્સર્ટ પર બોમ્બમારો કર્યો હતો અને માર્યા ગયેલા લોકોમાં શ્રોતાઓ પણ હતા. મ્યાનમારમાં યુએન કાર્યાલયે એક નિવેદનમાં કહ્યું કે, તે હવાઈ હુમલાના અહેવાલોથી "ખૂબ જ ચિંતિત અને દુઃખી" છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "નિઃશસ્ત્ર નાગરિકો સામે સુરક્ષા દળો દ્વારા બળનો ઉપયોગ અસ્વીકાર્ય છે અને જવાબદારોને જવાબદાર ઠેરવવા જોઈએ.

નોંધનીય છે કે, મ્યાનમારમાં વંશીય લઘુમતીઓ દ્વારા સ્વાયત્તતાની માંગણીઓ દાયકાઓથી ફગાવી દેવામાં આવી છે. કાચિન સ્વતંત્રતા સંગઠનની સ્થાપનાની 62મી વર્ષગાંઠની ઉજવણી રવિવારે તે સ્થળે યોજાઈ રહી હતી, જેનો ઉપયોગ લશ્કરી તાલીમ માટે  લશ્કરી પાંખ દ્વારા પણ કરવામાં આવે છે. તે મ્યાનમારના સૌથી મોટા શહેર યાંગોનથી લગભગ 950 કિમી દૂર હાપાકાંત પ્રદેશમાં સ્થિત છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ