બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / રાજકોટ / murder of security guard at naresh patels vevai bungalow at rajkot

મર્ડર / નરેશ પટેલના વેવાઈના બંગલે અજાણ્યા શખ્સોએ હત્યાને આપ્યો અંજામ, પોલીસે CCTV કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી

Dhruv

Last Updated: 08:27 AM, 25 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં નરેશ પટેલના વેવાઈ પ્રવિણ પટેલના બંગલે વિષ્ણુ કૂચરા નામના સિક્યુરિટી ગાર્ડની હત્યા.

  • રાજકોટના અમીનમાર્ગ નજીક વિદ્યાકુંજ સોસાયટીમાં હત્યા
  • નરેશ પટેલના વેવાઈ પ્રવિણ પટેલના બંગલામાં હત્યાની ઘટના
  • વિષ્ણુ નામના સિક્યોરિટી ગાર્ડે રોકવા જતા શખ્સોએ કરી હત્યા

રાજકોટના અમીનમાર્ગ નજીક વિદ્યાકુંજ સોસાયટીમાં નરેશ પટેલના વેવાઈ પ્રવિણ પટેલના બંગલામાં હત્યાની ઘટના સામે આવી છે. વિષ્ણુ નામના સિક્યોરિટી ગાર્ડે રોકવા જતા શખ્સોએ વિષ્ણુ કૂચરા નામના સિક્યુરિટી ગાર્ડની હત્યા કરી નાખી. હાલ આ સમગ્ર મામલે રાજકોટ માલવિયાનગર પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમના ઉચ્ચ અધિકારીઓ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

કોઈ નેપાળી શખ્સોએ આ હત્યા કરી હોવાની આશંકા

જણાવી દઇએ કે, રાત્રે કોઈ અજાણ્યા શખ્સોએ તેઓની હત્યા કરી નાખી છે. આરોપીએ મૃતકને તીક્ષ્ણ હથિયારના બે ઘા મારી હત્યા કરી દીધી છે. આરોપીએ ડિસમિસ વડે માથાના ભાગે અને ગળાથી નીચેના ભાગે ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો છે. હાલમાં કોઈ નેપાળી શખ્સોએ આ હત્યા કરી હોવાની આશંકા સેવાઈ રહી છે.

એવું કહેવાય છે કે, પ્રવિણ પટેલના બંગલામાં ચોરી કરવાના ઈરાદે શખ્સ બંગલામાં ઘૂસ્યો હતો. ત્યારે વિષ્ણુ નામના સિક્યોરિટી ગાર્ડે તેઓને રોકવા જતા શખ્સોએ તેની હત્યા કરી નાખી.
માલવીયાનગર પોલીસે CCTV ફુટેજના આધારે આ સમગ્ર મામલે તજવીજ હાથ ધરી છે.

સિક્યોરિટી નરેશ પટેલના વેવાઇના બંગલાની રખેવાળી કરતો

નોંધનીય છે કે, રાજકોટના અમીનમાર્ગ પર વિદ્યાકુંજ સોસાયટી આવેલી છે. જેમાં ઇશાવાસ્યમ નામનો બંગલો આવેલો છે. આ બંગલો ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલના વેવાઇ પ્રવીણ પટેલનો છે. હાલમાં પ્રવીણભાઇ પટેલ વડોદરા રહે છે અને અહીં તેમના બંગલામાં વિષ્ણુ કૂચરા નામનો એક શખ્સ રહે છે, જે બંગલાની દેખરેખ કરે છે. છેલ્લાં ચાર વર્ષથી વિષ્ણુભાઈ બંગલાની રખેવાળી કરતા હતા. પરંતુ રાતના 9 વાગ્યાની આસપાસ આવેલા એક અજાણ્યા શખ્સે ચોરી કરવાના ઇરાદે બંગલામાં ઘૂસવાની કોશિશ કરી હતી. પરંતુ વિષ્ણુ નામના સિક્યોરિટી ગાર્ડે તેઓને રોકવા જતા તીક્ષ્ણ હથિયારના ઘા મારીને તેની હત્યા કરી દીધી છે. આ હત્યા બાદ આરોપી બંગલાના પાછળના ભાગેથી ફરાર થઈ ગયો હતો. હત્યા કરનારો શખ્સ મૃતકના પરિચયમાં હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ