સરાઇકેલા-ખરસાવા જિલ્લાના પ્રખ્યાત તબરેઝ અન્સારી મૃત્યુ કેસમાં હત્યાના આરોપીઓ પર હવે હત્યાનો કેસ ચાલશે. આ સંદર્ભે પોલીસે બુધવારે આરોપી વિક્રમ મંડળ અને અતુલ માહલી વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.
તબરેઝ અન્સારી મૃત્યુ મામલો
11 આરોપીઓ સામે ચાલશે કેસ
11 આરોપીઓ વિરૂદ્ધ ચાલશે કેસ
નોંધનીય છે કે, પોલીસે આ અગાઉ 11 આરોપીઓ વિરુદ્ધ કોર્ટમાં દાખલ કરેલી ચાર્જશીટમાં IPC ની કલમ 304 ને બદલીને ફરી દાખલ કરતા IPC ની કલમ 302 પર પૂરક ચાર્જશીટ દાખલ કરી હતી. હવે તમામ 13 આરોપીઓ સામે IPC ની કલમ 147/149/341/342/323/302 / 295A હેઠળ કેસ ચાલશે.
આપને જણાવી દઇએ કે, તબરેઝ અન્સારીના મોત મામલે પ્રકાશ મંડલ ઉર્ફે પપ્પુ, ભીમસેન મંડળ, કમલ મહતો, સોનામો પ્રધાન, પ્રેમચંદ માહલી, સુમંત મહતો, મદન નાયક, ચામુ નાયક, મહેશ માહલી, કુશળ માહલી, સત્યનારાયણ નાયક, વિક્રમ મંડળ અને અતુલ માહલીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ઘણા આરોપીઓ હજી પોલીસની ધરપકડથી દૂર છે જે હાજર હતા અથવા આ ઘટનામાં સામેલ હતા.
વાયરલ વીડિયોમાં કોઈ છેડછાડ કરાઈ નથી
આ મામલે પોલીસે જણાવ્યું હતું કે, ઘાતકીડીહ મામલે મૃતક તબરેઝ અન્સારીને ગામના લોકોએ માર માર્યો હતો અને જય શ્રી રામના નારા લગાવ્યા બાદ જે વીડિયો વાયરલ થયો હતો. તે વિડીઓની તપાસ કરવામાં આવી હતી જેમાં વિડીઓની પ્રામાણિકતામાં કોઈ છેડછાડ કરવામાં આવી નથી. એટલે કે, આ ઘટના અંગે જાહેર કરાયેલો વીડિયો સંપૂર્ણ રીતે સાચો છે.