ભગવાન શિવ સાથે સંબંધ હોવાને કારણે શિવાલયોમાં નાગ દેવતાની પ્રતિમાના દર્શન કરવા મળે છે. આજે ભારતના એક એવા મંદિર માટે જણાવીશું જ્યાં એક અથવા બે નહીં પણ 30 હજાર નાગોના દર્શન થાય છે.
કેરળમાં અલપ્પઝા જિલ્લાના હરીપદ ગામમાં મન્નારસલા શ્રીનાગરાજનું મંદિર સ્થિત છે. મંદિરના રસ્તામાં જ ઝાડ પર 30 000થી પણ વધારે નાગદેવતા ના ચિત્રો જોવા મળે છે. અહીંયા નાગરાજની સાથે એમની પત્ની નાગયક્ષી દેવીની પ્રતિમા પણ સ્થિત છે. વિશ્વભરમાંઆ મન્નાર ટેમ્પલના નામથીલ ઓળખાય છે.
નાગરાજની પૂજાનો સંબંધ પરશુરામથી છે જેમને કેરળના નિર્માતાના માનવામાં આવે છે. ક્ષેત્રિયોના વધથી મુક્તિ મેળવવા માટે ભગવાન પરશુરામે આ નાગ ક્ષેત્રનું નિર્માણ કર્યું હતું. પરશુરમાજીની તપસ્યાથી ખુશ થઇને જ નાગરાજે એમને વરદાન આપ્યું હતું કે એ અહીંયા યુગો યુગો સુધી ઉપસ્થિત રહેશે અને ભક્તોનો ઉદ્ધાર કરશે. આ મંદિરમાં રાહુનનું સ્થાન પણ છે જે સાપોના દેવતા માનવામાં આવે છે.