ભારતમાં હવે કોરોનાના વળતા પાણી થયા છે. ત્રીજી લહેર નબળી પડતા હવે મહાનગરોને અનલોક કરવાની દિશામાં સરકાર એક્ટિવ થઈ છે.
ભારતમાં હવે કોરોનાના વળતા પાણી થયા
હવે મહાનગરો ખોલવાની દિશામાં પ્રયાસો
ફેબ્રુઆરીના અંત સુધીમાં મુંબઈ થઈ જશે ટોટલ અનલોક
મેયર કિશોરી પેડનેકરની જાહેરાત
મહારાષ્ટ્રમાં કોરોનાની ત્રીજી લહેર અત્યંત નબળી પડી
મહારાષ્ટ્રમાં કોરોનાની ત્રીજી લહેર અત્યંત નબળી પડી છે આવી સ્થિતિમાં મહાનગર મુંબઈને અનલોક કરવાની જાહેરાત કરવામાં આવી છે. મુંબઈગરાઓને એક મોટી રાહત આપતા મેયર કિશોરી પેડનેકરે મંગળવારે એ વાતની પુષ્ટિ કરી કે ફેબ્રુઆરીના અંતમાં મુંબઈને ટોટલ અનલોક કરી દેવામાં આવશે. છેલ્લા ઘણા દિવસથી મુંબઈમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો આવી રહ્યો છે.
There is good news for Mumbaikars. Mumbai will be unlocked by the end of this month. We have made up our minds, but it is essential for the people to wear masks and observe social distancing: Mumbai Mayor Kishori Pednekar#Maharashtrapic.twitter.com/YVekcJcqUY
મેયર કિશોરી પેડનકેરે જણાવ્યું કે મુંબઈગરાઓ માટે સારા સમાચાર છે. ફેબ્રુઆરીના અંતમા મુંબઈને અનલોક કરી દેવામાં આવશે. અમે આ દિશામાં નિર્ણય કરી લીધો છે પરંતુ લોકોએ માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવુ જરુરી છે.
મુંબઈની ચાલીઓ અને ઝૂંપડપટ્ટીમાંથી કન્ટેનમેન્ટ ઝોન હટાવાયા
મુંબઈની ચાલીઓ અને ઝૂંપડપટ્ટી વિસ્તારમાંથી કન્ટેનમેન્ટ ઝોન હવે હટાવી દેવાયો છે અને ફક્ત એક બિલ્ડિંગ જ સીલ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે મુંબઈમાં કોરોનાના કેસમાં મોટો ઘટાડો આવી રહ્યો છે છેલ્લે 7 જાન્યુઆરીએ સૌથી વધારે 20,971 કેસ સામે આવ્યાં હતા.