ગુજરાતના જામનગરમાં રણમલ ઝીલના દક્ષિણ પૂર્વમાં હનુમાનજીનું એક ખાસ ચમત્કારિક મંદિર છે. આ મંદિરને સંકીર્તન મંદિરના નામે પણ ઓળખાય છે. ભક્તો અહીં શ્રદ્ધા સાથે શીશ ઝુકાવે છે.
ગુજરાતના જામનગરમાં આવેલું છે હનુમાનજીનું ખાસ મંદિર
અહીં રામ ધૂનની પરંપાર 50 વર્ષથી ચાલી આવે છે
ભક્તો ચઢાવે છે ખાસ ચીજો
મંદિરનું નામ ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સામેલ
ક્યારે થઈ મંદિરની સ્થાપના
મંદિરની સ્થાપના 1540માં થઈ હતી. આ મંદિરની ખાસિયત તેનું પ્રાચીન હોવું જ નથી પણ આજે પણ આ મંદિર ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સનો ભાગ હોવાથી પણ ઓળખાય છે. અહીં રામધૂનની ખાસ પંરપરા પણ છે. મંદિરના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર 1960માં શ્રી ભિક્શ્રુ શ્રી મહારાજે મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. આ પછી 3 વર્ષ બાદ પણ તેઓએ શ્રી રામધૂનના નિરંતર જાર કરવાની પરંપરા શરૂ કરાવી હતી. આ કારણે મંદિરને વિશ્વ કિર્તીમાનમાં સામેલ કરાયું છે. બિહારના એક નાનકડા ગામમાં 1912માં જન્મેલા પ્રેમભિક્ષુક મહારાજે આ મંદિરની સ્થાપના કરી હતી. તેઓએ યુવાનીમાં જ ભગવો ધારણ કરી લીધો હતો. તેઓ 1960માં જામનગરમાં આવ્યા હતા અને તળાવના કાંઠે આ મંદિર બંધાવ્યું હતું.
50 વર્ષથી પણ જૂની પરંપરાનું થાય છે પાલન, આ છે નિયમો
1 ઓગસ્ટ 1964માં લગભગ 54 વર્ષ પહેલાં મહારાજજીના કહેવાથી હનુમાન ભક્તોએ શ્રી રામ જય રામ જય જય રામના મંત્ર જાપને 7 દિવસ સુધી નિરંતર 24 કલાક કરવાનો નિર્ણય લીધો હતો. જે પછી એક અંતહીન પરંપરા બની અને આજ સુધી ચાલી આવે છે.
આ રામધૂનના જાપમાં એક ખાસ વિશેષતા
આ ધૂનને ગાનારા મંદિરમાં આવતા જતા દરેક સામાન્ય ભક્ત જનો છે. કોઈ ખાસ તાલીમ બદ્ધ ગાયકો નથી. હવે મંદિરમાં આ ગાયકોનું લિસ્ટ બનાવીને નોટિસ બોર્ડ પર લગાવાય છે. વિશેષ પરિસ્થિતિમાં કોઈ ખલેલ ન પડે માટે 4-4 ગાયકોના નામ વધારે ગાયકો માટે ખાલી રાખવામાં આવે છે. આ સાથે મંદિરમાં કોઈ પણ ભક્ત પોતાની મરજીથી રામ ધૂનમાં સામેલ થવા ઈચ્છે તો તે સામેલ થઈ શકે છે.
લોકો આ મંદિરે હનુમાનજીને આકડાની માળા અને તેલ ચડાવે છે
હનુમાનજીને આમતો કળયુગના દેવ માનવામાં આવે છે. અને તેમના મંદિરે શનિવારે અથવા તો મંગળવારે મોટી માત્રા ભીડ જોવા મળતી હોય છે. પરંતુ જામનગર પાસે આવેલા મંદિરમાં ચોવીસ કલાક લોકો હોય છે. અને અખંડ રામધૂન ચાલુ રાખીને વર્લ્ડ રેકોર્ડ બનાવી ચૂક્યા છે. અહિ લોકોની ઇચ્છાઓ પૂર્ણ થાય છે. હનુમાન જયંતિ અને તથા દર શનિવારના દિવસે આ મંદિરે મેળા જેવો માહોલ જોવા મળે છે. મોટીં સંખ્યામાં લોકો આ મંદિરે હનુમાનજીને આકડાની માળા અને તેલ ચડાવે છે. અહિં જામનગરની આસપાસના લોકો અવાર નવાર દર્શન કરવા આવીને ધન્યતાનો અનુભવ કરે છે.
ભૂકંપ સમયે પણ સતત ચાલુ રહ્યા મંત્ર જાપના સૂર
આ મંદિરની ખાસ વાત એ છે કે મંદિરમાં આવનારા ભક્તોના પ્રયાસથી લગભગ અડધી સદી વીતી હોવા છતાં પણ રામ ધૂનન લહેરને કોઈએ તૂટવા દીધી નથી. 2021માં ગુજરાતમાં આવેલા વિનાશકારી ભૂકંપના સમયે પણ આ મંદિરમાં રામ ધૂનના જાપ નિરંતર ચાલુ રહ્યા હતા.