રિલાયન્સ અને ફ્યુચર ગ્રુપ ડીલ પર મુકેશ અંબાણીને ખુબ મોટો ઝટકો લાગ્યો છે.
મુકેશ અંબાણીની 25 કરોડની ડીલ ફસાઇ
દિલ્હી હાઇકોર્ટે લગાવી રોક
અંબાણીને લાગ્યો મોટો ઝટકો
હાઇકોર્ટે 25000 કરોડ રૂપિયાની આ ડીલ પર યથાસ્થિતિ બનાવી રાખવાનો આદેશ આપ્યો છે. હાઇકોર્ટે કહ્યું કે આ ડીલમાં અમેઝોનના હિતોની રક્ષા માટે વચગાળાના હુકમની જરૂર છે. સિંગાપોરની અદાલત પહેલા જ આ સમજોતા પર રોક લગાવી ચૂકી છે.
રિલાયન્સ-ફ્યુચર ડીલમાં અંબાણીને ઝટકો
નિર્ણય આવવા સુધી ફ્યુચર રિટેલને જેમ છે તેમ બનાવી રાખવાનો આદેશ આપ્યો છે. એમેઝોનને દિલ્હી હાઇકોર્ટમાં સિંગાપોરના અદાલતના નિર્ણયને લાગૂ કરવાની અપીલ કરી હતી. એમેઝોનનું કહેવું છે કે ફ્યુચર ગ્રુપને મુકેશ અંબાણીના રિલાયન્સ ગ્રુપ સાથે સોદો કરવા માટે રોકવામાં આવે. આ પહેલા દિલ્હી હાઇકોર્ટે 1 ફેબ્રુઆરીના રોજ એમેઝોન અને ફ્યુચર રિટેલ લિમિટેડ સાથે સમજોતો અને સેટલમેન્ટ કરવા પર વિચાર કરવાનું કહ્યું હતુ.
કોર્ટે બંને કંપનીઓને પૂછ્યુ હતુ કે શું તે FRL અને રિલાયન્સ રિટેલ વચ્ચે 24,713 કરોડની ડિલથી પેદા થયેલા વિવાદને સોલ્વ કરવા માટે તૈયાર છે. બાદમાં આ પ્રકારનો આદેશ આપવામાં આવ્યો હતો.
ડીલને લઇને એમેઝોનને શું છે વાંધો
ઓગસ્ટ 2019માં એમેઝોને ફ્યુચર કૂપંસમાં 49 ટકા હિસ્સેદારી ખરીદી હતી. આ ડીલમાં શર્ત હતી કે એમેઝોનને 3થી 10 વર્ષની અવધિ બાદ ફ્યુચર રિટેલ લિમિટેડની હિસ્સેદારી ખરીદવાનો હક હશે. સાથે જ કંપનીની હિસ્સેદારી રિલાયન્સ રિટેલને ન વેચી શકે તેવી વાત પણ હતી. આ દરમિયાન કિશોર બિયાનીએ ફ્યુચર ગ્રુપના રીટેલ સ્ટોર, હોલસેલ અને લોજીસ્ટિક્સ કારોબારને રિલાયન્સને વેચવાનો સોદો કરી લીધો હતો. આ સોદો 24713 કરોડ રૂપિયામાં થયો હતો. આ જ કારણે એમેઝોન આ ડીલમાં વચ્ચે પડી રહ્યું છે.
સિંગાપોરની અદાલત લગાવી ચૂકી છે રોક
આ ડીલને રોકવા માટે એમોઝોન સિંગાપોરની કોર્ટમાં પણ ગયુ હતુ જેના પર સિંગાપોરની કોર્ટે પણ રોક લગાવી દીધી હતી. આ મામલે ત્રણ સદસ્યીય મધ્યસ્થતા પીઠ અંતિમ નિર્ણય લેશે. જે બાદ આ નિર્ણય દરેકે માનવો પડશે.