મુકેશ અંબાણીએ કહ્યું કે, આગામી 20 વર્ષમાં ભારત વિશ્વની ટોચની 3 અર્થવ્યવસ્થામાં સામેલ થશે. તેમણે ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગ સાથેની વીડિયો વાતચીત દરમ્યાન આ વાત કહી હતી. ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગે કહ્યું કે તેમને ભારતના ભવિષ્યમાં ખૂબ વિશ્વાસ છે.
આગામી 20 વર્ષમાં ભારત વિશ્વની ટોચની 3 અર્થવ્યવસ્થામાં થશે સામેલ
મુકેશ અંબાણીએ માર્ક ઝુકરબર્ગ સાથે કરી વીડિયો વાતચીત
ભારતમાં વ્હોટ્સએપ અને જીઓની અસર મુદ્દે કરી ચર્ચા
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, આગામી 20 વર્ષમાં ભારત વિશ્વની ટોચની ત્રણ અર્થવ્યવસ્થામાં થશે. આ વાત તેમણે ફેસબુકના માર્ક ઝુકરબર્ગ સાથેની વીડિયો કોન્ફરન્સ દરમ્યાન કહી હતી.
ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગે કહ્યું કે તેમને ભારતના ભવિષ્યમાં ખૂબ વિશ્વાસ છે, તેથી તેમણે ભારતમાં રોકાણ કર્યું છે. મુકેશ અંબાણીએ કહ્યું કે જિઓ અને ફેસબુક બંને મળીને વેલ્યુ એડેડ ક્રિએટર બની શકે છે. વોટ્સએપના કરોડો સબ્સ્ક્રાઇબર્સ છે અને જિઓના પણ કરોડો સબ્સ્ક્રાઇબર્સ છે.
શું કહ્યું મુકેશ અંબાણીએ?
મુકેશ અંબાણીએ કહ્યું કે જિઓ માર્ટ રિટેલ તકોને નાના શહેરો અને ગામોમાં નાના દુકાનદારોને જોડશે અને તેનાથી લાખો નવા રોજગાર ઉભી થશે.
તેમણે કહ્યું કે જિઓ દેશની તમામ શાળાઓને જોડવાનો પ્રયાસ કરી રહી છે. એ જ રીતે, હેલ્થકેર ક્ષેત્રમાં, અમે બધા અધિકારીઓની સાથે તેમને ટેકનોલોજી ટૂલ્સ પ્રદાન કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
મુકેશ અંબાણીએ કહ્યું, 'ડિજિટલ કનેક્ટિવિટી જિઓથી આવી છે. હવે વોટ્સએપ પેથી ડિજિટલ ઈન્ટરએક્ટિવિટી વધશે અને આપણે ક્લોઝ ટ્રાન્ઝેક્શન અને વેલ્યુ ક્રિએશનની તરફ આગળ વધી શકીશું. જિઓ માર્ટે અમર્યાદિત ઑનલાઇન અને ઑફલાઇન તકો પ્રદાન કરી છે, જેનાથી આપણા દેશના નાના દુકાનદારોને ડિજિટાઇઝ કરવાની તક મળી છે.
તેમણે કહ્યું કે જિઓએ નિ:શુલ્ક વ ફ્રી વૉઈસ સેવાઓ પ્રદાન કરવામાં આગેવાની લીધી છે. અમને ગર્વ છે કે જિઓ તેના નેટવર્ક દ્વારા નિઃશુલ્ક વોઈસ સેવાઓ પ્રદાન કરવામાં સક્ષમ છે.
જિઓ પ્લેટફોર્મ્સમાં ભાગીદારી
ઉલ્લેખનીય છે કે રિલાયન્સ જિયો પ્લેટફોર્મ્સને કંપનીના 9.99 ટકા હિસ્સેદારી માટે ફેસબુક તરફથી 43,574 કરોડ રૂપિયા મળ્યા છે. કંપનીની સબસિડિરી જિઓ પ્લેટફોર્મ લિમિટેડને ફેસબુકની સંપૂર્ણ માલિકીની સબસિડિયરી જાધુ હોલ્ડિંગ્સ, LAC (જાધુ હોલ્ડિંગ્સ) તરફથી 43,574 કરોડ રૂપિયા મળ્યા છે. ફેસબુકે જિયો પ્લેટફોર્મમાં 4.62 લાખ કરોડ રૂપિયાના એન્ટરપ્રાઈઝ વેલ્યુ પર 9.99 ટકા ભાગીદારી લીધી છે.
આ ડીલ દ્વારા, જ્યાં ફેસબુકે ભારતમાં પહેલીવાર મોટી કંપનીમાં રોકાણ કર્યું છે. તે જ સમયે, ફેસબુક અને વોટ્સએપની મદદથી, તે દેશના 6 કરોડ જેટલા નાના દુકાનદારો સુધી પ્રવેશ કરી શકશે. આનાથી ભારતમાં ફેસબુકના પ્રવેશમાં વધારો થશે. છેલ્લાં પાંચ વર્ષમાં ઈન્ટરનેટ ભારતમાં 56 કરોડ લોકો સુધી પહોંચ્યું છે અને જિઓના જ નેટવર્કમાં 38.8 કરોડ ગ્રાહકો છે.