બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / સ્પોર્ટસ / Cricket / ms dhoni retirement plan ipl chennai super kings indian cements last ipl game

જાહેરાત ? / IPLમાંથી રિટાયરમેન્ટ માટે ધોનીએ કર્યું આ એલાન, કહ્યું મારી ઈચ્છા છે કે છેલ્લી મેચ રમું ત્યારે...

Premal

Last Updated: 12:23 PM, 6 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2021માં ચેન્નઈ સુપર કિંગ્સે પ્લેઓફમાં પોતાનું સ્થાન પાક્કુ કરી નાખ્યું છે, આ દરમ્યાન કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. મંગળવારે મહેન્દ્ર સિંહ ધોનીએ પ્રથમ વખત આઈપીએલમાંથી નિવૃત્તિ અને ચેન્નઈ તરફથી છેલ્લી મેચ રમવાની વાત કરી છે. ધોનીએ કહ્યું કે તેમને આશા છે કે તેઓ CSK તરફથી પોતાની છેલ્લી મેચ ચેન્નઈમાં પ્રશંસકો સામે રમશે.

  • IPL 2021માં ચેન્નઈ સુપર કિંગ્સે પ્લેઓફમાં પોતાનું સ્થાન પાક્કુ કર્યુ
  • મહેન્દ્ર સિંહ ધોનીએ આપ્યું ચોંકાવનારું નિવેદન
  • ચેન્નઈ તરફથી છેલ્લી મેચ રમ્યા બાદ ધોની IPLમાંથી લેશે નિવૃત્તિ ?

સીએસકે તરફથી રમતા જોશો ત્યારે મારી ફેરવેલ ગણાશે: ધોની

મંગળવારે ધોનીએ એક કાર્યક્રમમાં આ નિવેદન આપ્યું. ધોનીએ કહ્યું કે જો ફેરવેલની વાત કરીએ તો જ્યારે તમે મને સીએસકે તરફથી રમતા જોશો ત્યારે મારી ફેરવેલ ગણાશે. કારણકે તમને મને વિદાય આપવાની તક મળશે. મને આશા છે કે હું ચેન્નઈ ટીમમાં આવ્યો અને ત્યાં મારા પ્રશંસકો વચ્ચે હું મારી અંતિમ મેચ રમી શકુ.

2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધો હતો સંન્યાસ 

મહત્વનું છે કે, મહેન્દ્ર સિંહ ધોની 15 ઓગષ્ટ, 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી ચૂક્યો છે. ત્યારબાદ તેઓ ફક્ત આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમે છે. ગયા વર્ષે આઈપીએલમાં જ્યારે ચેન્નઈની ટીમ કશું કરવામાં અસમર્થ નિવડી હતી ત્યારે માનવામાં આવતુ હતુ કે ધોની આઈપીએલ પણ છોડી દેશે. પરંતુ ત્યારે તેમણે સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો.

ચાલુ વર્ષે CSKમાં ધોનીનું કંગાળ પ્રદર્શન

હવે ચાલુ વર્ષે આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સે સારું પ્રદર્શન કર્યુ છે અને પ્લેઓફમાં પોતાનું સ્થાન પાક્કુ કરી નાખ્યું છે. પરંતુ મહેન્દ્ર સિંહ ધોનીના ફોર્મની સ્થિતિ થોડી સારી નથી. તેઓ એક મેચમાં વિનિંગ સિક્સ લગાવ્યાં સિવાય ધોની બેટીંગથી કોઈ કમાલ કરી શક્યા નથી.

કોરોનાના કારણે આઈપીએલની થોડી મેચ યુએઈમાં રમાઈ

જો ચેન્નઈની વાત કરીએ તો એમએસ ધોનીએ ચેન્નઈમાં આઈપીએલમાં અંતિમ મેચ 2019માં રમી હતી. ત્યારબાદ કોરોનાના કારણે આઈપીએલ યુએઈમાં રમવામાં આવ્યો અને ચાલુ વર્ષની આઈપીએલની અડધી મેચ ભારતમાં રમવામાં આવી રહી છે ત્યારે ચેન્નઈએ પોતાની મેચ ફક્ત મુંબઈમાં રમી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ