મધ્ય પ્રદેશમાં ચાલી રહેલા રાજકીય ડ્રામામાં ફ્લોર ટેસ્ટ મામલે હજુ પણ ચિત્ર સ્પષ્ટ નથી થયું. આજે મધ્યપ્રદેશની રાજનીતિ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ટળી છે. સુપ્રીમ કોર્ટે કમલનાથ અને સ્પીકરને પણ નોટિસ ફટકારી છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે કોંગ્રેસને વિધાનસભામાં આવતીકાલે ફ્લોર ટેસ્ટમાં બહુમતી સાબિત કરવા જણાવ્યું છે.
કમલનાથ સરકારને સુપ્રીમ કોર્ટની નોટિસ
મધ્યપ્રદેશની રાજનીતિ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ટળી
આવતીકાલે સવારે હાથ ધરાશે સુનાવણી
Supreme Court issues notice to Madhya Pradesh government, hearing tomorrow at 10.30 am https://t.co/Vm55HyRpKQ
સુપ્રીમ કોર્ટે આ મામલામાં મધ્યપ્રદેશ સરકારને નોટિસ ફટકારી છે. આ ઉપરાંત કોંગ્રેસ પાર્ટી અને સ્પીકરને પણ નોટિસ ફટકારવામાં આવી છે. આ સાથે સુનાવણી આવતીકાલ સુધી મુલતવી રાખવામાં આવી છે અને હવે આ મામલે બુધવારે સુનાવણી થશે.
કમલનાથે સોમવારે રાજ્યપાલ સાથે બેઠક કરી હતી
મધ્યપ્રદેશમાં ચાલી રહેલા ડ્રામા વચ્ચે ફ્લોર ટેસ્ટ મામલે પણ અસમંજસની સ્થિતિ ઉભી થઇ છે. રાજ્યપાલ લાલજી ટંડને મુખ્યમંત્રી કમલનાથને પત્ર લખી ફ્લોર ટેસ્ટ કરાવવા માટે તાકીદ કરી હતી.જેથી કમલનાથે સોમવારે રાજ્યપાલ સાથે બેઠક કરી હતી.
સુપ્રીમ કોર્ટમાં અરજી કરી તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી
વધુમાં કમલનાથે કહ્યું કે આજે પણ અમારી પાસે ધારાસભ્યોની બહુમતી છે. એટલે અમારી કોઇ ફ્લોર ટેસ્ટની જરૂર નથી. છતાં જેને શંકા હોય તે અવિશ્વાસની દરખાસ્ત લાવી શકે છે. તો બીજી તરફ મધ્યપ્રદેશ વિભાનસભામાં ફ્લોર ટેસ્ટ અંગે આજે સુપ્રીમકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. સુપ્રીમ કોર્ટની બે જજની બેંચ ફ્લોર ટેસ્ટ અંગે પોતાનો નિર્ણય સંભળાવશે. મહત્વનું છે કે ભાજપના પ્રતિનિધિ તરીકે પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ફ્લોર ટેસ્ટ માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી.