MPમાં CM શિવરાજ સિંહ ચૌહાણે 'હિન્દી વિમર્શ' કાર્યક્રમમાં ડૉક્ટરોને કહ્યું, Rxની જગ્યા પર શ્રી હરિ લખો
MPનાCM શિવરાજ સિંહની ડૉક્ટરોને સલાહ
"હિન્દી પ્રત્યે માનસિક્તા બદલો"
"Rxની જગ્યા પર શ્રી હરિ અને લખો"
ભોપાલના ભારત ભવનમાં આયોજિત 'હિન્દી વિમર્શ' કાર્યક્રમમાં મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી CM શિવરાજ સિંહ ચૌહાણે સંબોધિત કર્યા હતો. મુખ્યમંત્રી શિવરાજ સિંહ કહ્યું કે ગામડાના ગરીબ માણસને પણ પોતાના બાળકને ભણાવવું છે અને જેને કંઈક વેચીને પણ પોતાના બાળકને ભણાવવું છે અને તે પણ અંગ્રેજી માધ્યમની શાળામાં પ્રવેશ લેવરાવવું છે. તેમણે કહ્યું હતું કે મેં એક વિદ્યાર્થીને મેડિકલ કોલેજ છોડતા જોયો છે જેનો છોડવા પાછળનું કારણ હતું કે તેને અંગ્રેજી આવડતી ન હતી.
MPના CM શિવરાજસિંહની ડૉક્ટરોને અપીલ
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે શનિવારે ભોપાલમાં ડોક્ટરોને અપીલ કરી હતી. તેમણે ડૉક્ટરોને કહ્યું હતું કે, તમે દર્દીના કેસ પર જે દવા લખો છો તે હિન્દીમાં લખો તેવી અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, તમને હિન્દીમાં લખવામાં શુ તકલીફ છે. તમારે દવા જ લખવી છે તો અંગ્રેજીમાં લખો કે હિન્દીમાં શુ વાંધો છે માટે તમે હિન્દીમાં લખી શકો છો. તેમણે કહ્યું હતું કે Rxની જગ્યા જગ્યા પર શ્રી હરિ લખો અને તેના નીચે હિન્દીમાં દવાનું નામ લખો. તેમણે કહ્યું હતું કે, અહીં ગામે ગામ ડૉક્ટરોની જરૂર છે. તમણે વધુમાં ડૉક્ટરોને ટકોર કરતા કહ્યું હતું કે તેમને હિન્દીમાં લખવામાં વાંધો શું છે અને તેમણે તેમની સામે બેસેલા ડૉક્ટરો ને આ બાબતનો કંઈક સોલ્યુશન લાવવા પણ જણાવ્યું હતું
'હિન્દી પ્રત્યે માનસિકતા બદલો'
શિવરાજ સિંહ ચૌહાણે ભારત ભવનમાં હિન્દી વિમર્શ કાર્યક્રમમાં સંબોધનમાં જણાવ્યું હતું કે, ગામડાના દરેક ગરીબ બાળકના પિતાને પોતાના બાળકને ભણાવવું છે અને તે પણ ઈંગ્લિશ મીડિયમ સ્કૂલમાં એડમિશન લેવું છે. તેમણે કહ્યું હતું કે,અંગ્રેજીના કારણે મે એક વિદ્યાર્થીને મેડિકલ કોલેજ છોડતા પણ જોયો છે. તેમણે ઉપસ્થિત લોકોને કહ્યું હતું કે, હિન્દી ભાષા બાબતે માનસિકતા બદલવવાની જરૂર છે. તેમણે કહ્યું હતું કે, તમે હિન્દી પ્રત્યે માનસિક્તા બદલી ભાષાનો ગૌરવ અનુભવશો તો તમારી સાથે એ વિચારોને બાળકો પણ ગ્રહણ કરશે. કહ્યું કે, એક નવા યુગનો પ્રારંભ ભોપાલથી થઈ રહ્યો છે.