બ્રેકિંગ ન્યુઝ
Premal
Last Updated: 04:30 PM, 27 April 2022
ADVERTISEMENT
મોંઢાના ચાંદાથી જીવવાનું થયુ મુશ્કેલ
કેટલાંક ઘરગથ્થુ ઉપાયોની મદદથી આ સમસ્યામાંથી છૂટકારો મેળવી શકાય છે. મોંઢામાં ચાંદા પડવાથી ખાવા-પીવામાં વધુ પરેશાની થાય છે. આ ચાંદાને તબીબી ભાષામાં કેન્કર સોર પણ કહેવામાં આવે છે. આ ચાંદા ક્યારેક-ક્યારેક જીવવાનુ પણ મુશ્કેલ કરી નાખે છે. જો કે, આ મોટાભાગે ઓછા સમય માટે રહે છે, પરંતુ તેમ છતાં ખૂબ તકલીફ આપે છે. જો ચાંદાની સાથે-સાથે તાવ પણ આવે છે તો સારું થવામાં 3 અઠવાડિયાનો સમય લાગે છે. જો ખાવાનુ ગળેથી ઉતારવામાં પરેશાની થાય છે તો તમે ડૉકટરને મળી શકો છો.
ADVERTISEMENT
અપનાવો આ ઘરેલુ ઉપાય
મોંઢાના ચાંદા મોટાભાગે આપોઆપ ઠીક થાય છે અને તેના માટે કોઈ સારવારની પણ જરૂર પડતી નથી. પરંતુ દુ:ખાવામાંથી આરામ મેળવવા અને જલ્દી સાજા થવા માટે તમે ઘરગથ્થુ ઉપાયો અપનાવી શકો છો.
તુલસીના પાન
તુલસીના પાન દરેક ઘરમાં મળી જાય છે. આ સરળતાથી મળી જાય છે. તુલસી અત્યંત લાભદાયી છે. આ વાતાવરણ સિવાય તમારા શરીર માટે રામબાણ છે. જેનાથી અનેક બિમારીઓની સારવાર કરી શકાય છે. તુલસીમાં એન્ટી-ઓક્સિડેન્ટ્સ પણ હોય છે. તેથી તેના પાનને દિવસમાં બે-ચાર-પાંચ વખત ખાવાથી મોંઢાના ચાંદા મટી જાય છે.
ખસખસ
આ સિવાય એક ચમચી સવારે ભૂખ્યા પેટે ખસખસને ગરમ પાણીની સાથે લેવાથી મોંઢાના ચાંદા તરત મટી જાય છે અને તાત્કાલિક આરામ મળે છે.
નારિયેળ તેલ
નારિયેળ તેલથી મોંઢાના ચાંદાને તરત મટાડી શકાય છે. નારિયેળ તેલને પાણીની સાથે મિલાવીને તેનુ સેવન કરો. આ પેટને ઠંડુ રાખે છે અને મોંઢાના ચાંદાને તરત મટાડે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.