બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / આરોગ્ય / mouth ulcers easy home remedies mouth ulcers home remedies poppy seeds coconut oil

ઉપાયો / મોંઢાના ચાંદાથી પરેશાન હોવ તો અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર, એકઝાટકે મળશે આરામ

Premal

Last Updated: 04:30 PM, 27 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોંઢામાં પડેલા ચાંદાથી લોકો હંમેશા પરેશાન રહે છે. આ બિમારીના ઘણા કારણ હોઇ શકે છે. આ એલર્જી, હોર્મોન્સમાં ફેરફાર, પેટના ઈન્ફેક્શનથી થઇ શકે છે. એટલું જ નહીં, દાંતથી મોંઢાની અંદર ખંજવાળ આવવી અથવા કોઈ કારણોસર ગાલ કાપવાથી પણ મોંઢામાં ચાંદા પડી જાય છે.

  • શું તમે મોંઢાના ચાંદાથી પરેશાન છો?
  • મોંઢાના ચાંદા પડવા પાછળ ઘણા કારણો છે જવાબદાર
  • સમસ્યામાંથી છૂટકારો મેળવવા અપનાવો ઘરગથ્થુ ઉપચાર

મોંઢાના ચાંદાથી જીવવાનું થયુ મુશ્કેલ 

કેટલાંક ઘરગથ્થુ ઉપાયોની મદદથી આ સમસ્યામાંથી છૂટકારો મેળવી શકાય છે. મોંઢામાં ચાંદા પડવાથી ખાવા-પીવામાં વધુ પરેશાની થાય છે. આ ચાંદાને તબીબી ભાષામાં કેન્કર સોર પણ કહેવામાં આવે છે. આ ચાંદા ક્યારેક-ક્યારેક જીવવાનુ પણ મુશ્કેલ કરી નાખે છે. જો કે, આ મોટાભાગે ઓછા સમય માટે રહે છે, પરંતુ તેમ છતાં ખૂબ તકલીફ આપે છે. જો ચાંદાની સાથે-સાથે તાવ પણ આવે છે તો સારું થવામાં 3 અઠવાડિયાનો સમય લાગે છે. જો ખાવાનુ ગળેથી ઉતારવામાં પરેશાની થાય છે તો તમે ડૉકટરને મળી શકો છો. 

અપનાવો આ ઘરેલુ ઉપાય

મોંઢાના ચાંદા મોટાભાગે આપોઆપ ઠીક થાય છે અને તેના માટે કોઈ સારવારની પણ જરૂર પડતી નથી. પરંતુ દુ:ખાવામાંથી આરામ મેળવવા અને જલ્દી સાજા થવા માટે તમે ઘરગથ્થુ ઉપાયો અપનાવી શકો છો. 

તુલસીના પાન

તુલસીના પાન દરેક ઘરમાં મળી જાય છે. આ સરળતાથી મળી જાય છે. તુલસી અત્યંત લાભદાયી છે. આ વાતાવરણ સિવાય તમારા શરીર માટે રામબાણ છે. જેનાથી અનેક બિમારીઓની સારવાર કરી શકાય છે. તુલસીમાં એન્ટી-ઓક્સિડેન્ટ્સ પણ હોય છે. તેથી તેના પાનને દિવસમાં બે-ચાર-પાંચ વખત ખાવાથી મોંઢાના ચાંદા મટી જાય છે. 

ખસખસ

આ સિવાય એક ચમચી સવારે ભૂખ્યા પેટે ખસખસને ગરમ પાણીની સાથે લેવાથી મોંઢાના ચાંદા તરત મટી જાય છે અને તાત્કાલિક આરામ મળે છે.

નારિયેળ તેલ

નારિયેળ તેલથી મોંઢાના ચાંદાને તરત મટાડી શકાય છે. નારિયેળ તેલને પાણીની સાથે મિલાવીને તેનુ સેવન કરો. આ પેટને ઠંડુ રાખે છે અને મોંઢાના ચાંદાને તરત મટાડે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ