દેશમાં કોરોના વેક્સીનેશનના 6.24 કરોડ ડોઝ લોકોને અપાઈ ચૂક્યા છે. મંગળવારે 12,94,979 ડોઝ આપવામાં આવ્યા છે. આ જાણકારી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આપી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના રિપોર્ટ અનુસાર મંગળવારે સાંજે 7 વાગ્યા સુધી 6,24,08,333 ડોઝ અપાયા છે.
देश में कुल सक्रिय मामलों की संख्या बढ़कर 5,40,720 हुई है। यह 4% से ज्यादा है। मृत्यु की संख्या 1,62,000 है। रिकवरी रेट 94% है। 10 ज़िले जहां सक्रिय मामलों की संख्या सबसे ज्यादा है, उनमें से 8 ज़िले महाराष्ट्र के है: केंद्रीय स्वास्थ्य सचिव राजेश भूषण #COVID19pic.twitter.com/FrG8O8ThVY
કોને કેટલી વેક્સીન અપાઈ
રિપોર્ટના આધારે 82,00,007 સ્વાસ્થ્ય કર્મીઓને વેક્સીનનો પહેલો ડોઝ અપાઈ ચૂક્યો છે જ્યારે 52,07,368 સ્વાસ્થ્ય કર્મીઓને વેક્સીનનો બીજો ડોઝ પણ આપી દેવાયો છે. આ સાથે 90,08,905 કર્મીઓને વેક્સીનો પહેલો ડોઝ અને 37,70,603 અગ્રીમ કર્મીઓને વેક્સીનનો બીજો ડોઝ અપાઈ ચૂક્યો છે.
60 વર્ષથી વધારે ઉંમરના લોકોને અપાઈ વેક્સીન
60 વર્ષથી વધારે ઉંમરના 2,90,20,989 લોકોને કોરોનાની વેક્સીનનો પહેલો ડોઝ અપાઈ ચૂક્યો છે જ્યારે 36,899 દર્દીઓને બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે. મંત્રાલયે ગંભીર બીમારીથી પીડાતા 45 વર્ષથી ઉપરના 71,58,657 દર્દીઓને વેક્સીનનો પહેલો ડોઝ આપ્યો છે તો આ ક્રમમાં 4905 લોકોને વેક્સીનનો બીજો ડોઝ આપી દેવાયો છે.
વેક્સીનેશન અભિયાનનો 74મો દિવસ
મંગળવારે સાંજે 7 વાગ્યા સુધી 12,94,979 લોકોને વેક્સીન અપાઈ છે. આ અભિયાનનો આજે 74મો દિવસ છે. સાંજે 7 વાગ્યા સુધી તેમાંથી 11,77,160 લાભાર્થીઓને વેક્સીનનો પહેલો ડોઝ અપાયો છે જ્યારે અન્યને બીજો ડોઝ અપાયો છે.