મોરબીના ખોબા જેવડા ગામ કોયલીની આરતીએ ચારના જીવનમાં પ્રક્ટાવ્યો,બ્રેન ડેડ યુવતી પરિવારજનોએ યુવતીના અંગદાન કરતા ચાર વ્યક્તિના જીવન થયા નવપલ્લવિત
સિવિલમાં બ્રેઈનડેડ યુવતીના અંગોનું દાન
મોરબીની યુવતીના પરિજનોનો નિર્ણય
અંગદાનથી 5 લોકોનું અજવાળશે જીવન
મોરબીના કોયલી ગામની એક યુવતી બ્રેન ડેડ થતા તેમના ચાર અંગનું દાન કરવામાં આવ્યું.આરતી નામક યુવતીના પરિજનોએ અન્ય પાંચના જીવનને અજવાળવા મનસુબો કર્યો અને આરતીના અંગના દાન અપાયા હતા.
અંગદાન -મહાદાન
દુનિયામાં મૃત્યુ એ સનાતન સત્ય છે તેમાંથી કોઈ બાકાત રહી શકતું નથી અને કોઈ રહી શકવાનું પણ નથી..અત્યારે આપણું અસ્તિત્વ ટકેલું હોય છે પરતું આપને જાણીને નવાઈ લાગશે કે મૃત્યુબાદ પણ આપણે અન્ય વ્યક્તિને આવી રીતે કામે આવી શકીએ છીએ, મોરબીના કોયલી ગામની આરતીના અંગોનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાન કરાયું છે. બ્રેઈન ડેડ જાહેર થતા આરતીના અંગોને હોસ્પિટલને દાન કરવાનો પરિવાજનોએ નિર્ણય કર્યો હતો જે બાદ સિવિલમાં આરતીના 5 અંગોને ડોનેટ કરાયા હતા.આમ આરતીના મૃત્યુ બાદ પણ તેના અંગો થકી અન્ય કોઈ વ્યક્તિના જીવનમાં પ્રકાશ લાવવાનું કામ કર્યું છે. મૃત્યુબાદ અંગદાન કરીને અન્યના અંધકારમય જીવનને આરતી મદદરૂપ થઈ છે.
પરિજનોનો પરિજનોનો નિર્ણય
આરતી આ હાલતમાં કેવી રીતે પહોંચી તે તો પરિવારજનોએ નથી જણાવ્યું.પરંતુ આ પહેલા તે મોરબીની હોસ્પિટલમાં દાખલ હતી.અને ત્યાર બાદ તેને અમદાવાદ સિવિલ ખાતે લાવવામાં આવી હતી. જોકે તેના પરિવારે અંગદાનનો નિર્ણય કર્યો હતો.
મહત્વનું છે કે હવે ધીમે ધીમે અંગદાનનું મહત્વ સમજાતું જાય છે, બ્રેઈન ડેડ થતા બાદ વ્યક્તિના અંગો જો ડોનેટ કરવામાં આવે તો તેના પર મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે છે, અને વધુ મેડિકલ ક્ષેત્રમાં સંશોધનમાં સારુ કામ કરી શકે છે. જો વાત કરવામાં આવે તો છેલ્લા 9 મહિનામાં 9 લોકોએ 27 જેટલા અંગોને ડોનેટ કર્યા છે. અને આજે આરતીના અંગદાન થકી પણ 4 લોકોને નવજીવન મળ્યું છે..