મોરારીબાપુએ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ની ટીમને અભિનંદન આપતા કહ્યું કે તમામ લોકો ફિલ્મ અચૂક નિહાળજો
મોરારીબાપુએ ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મના કર્યા વખાણ
મૈ ફિલ્મ જોઈ નથી કારણ કે હું જોઈ ના શકું, તમે બધા અચૂક જોજો: મોરારીબાપુ
ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ હાલ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. દેશમાં ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે મોરારીબાપુએ કશ્મીરી પંડિતોના પર આધારિત ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મના વખાણ કર્યા છે અને કહેવાતા સેક્યુલર લોકોએ દેશની દુદર્શા કરી હોવાનું નિવેદન આપ્યું છે.
મોરારીબાપુએ 'ધ કાશ્મીર ફાઇલ્સ' ફિલ્મના કર્યા વખાણ
કથાના કથન દરમિયાન મોરારીબાપુએ કહ્યું હતું કે મારે એક વસ્તુને ધન્યવાદ આપવો છે. કાશ્મીર ફાઇલ ફિલ્મ..આપણા યશસ્વી વડાપ્રધાન પણ ફિલ્મ જોઈને વખાણી છે. આટલા વર્ષો જૂનું સત્ય જે ધરવી રાખવામાં આવેલુ ત્યાં આપણી શું સ્થિતિ થઈ હતી કશ્મીરી પંડિતોની ઈ જે આ ફિલ્મમાં બતાવ્યું છે તે પ્રસંસાને પાત્ર છે. મૈ ફિલ્મ જોઈ નથી કારણ કે હું જોઈ ના શકું તેવા દ્રશ્યો તેમાં છે એટલે એ મારા માટે અધરું કામ છે. પણ ફિલ્મને હું આવકારું છું અને નિર્માતા અને દિગ્દર્શકને તેમજ તમામ ટીમનો આભાર વ્યક્ત કરતાં કથાનું શ્રવણ કરતાં તમામ લોકોને અપીલ કરી હતી કે તમે આ ફિલ્મ અચૂક જોજો.
કહેવાતા સેક્યુલર લોકોએ દેશની દુદર્શા કરી: મોરારી બાપુ
વધુમાં મોરારી બાપુએ વખાણના કારણ આપતા કહ્યું હતું કે આપણને એ વાતની ખ્યાલ આવે કે આપણા દેશની શું દુર્દશા હતી. સેક્યુલર સેક્યુલર કરીને જે લોકો દેશને નુકસાન કર્યું છે તેવાને ફિલ્મમાં ખુલ્લા જોવામાં આવે. હું ઈચ્છું છું કે મોકો મળશે તો હું ફિલ્મ જોઈશ પણ કોઈ એવા દ્રશ્યો હશે તો હું ફિલ્મ આખી નહીં જોઈ શકું. એના માટે પણ મારી પ્રશંશા વ્યક્ત કરી રહ્યો છું કારણ કે ફિલ્મમાં આખાય રાષ્ટ્ર માટેનું જાગરણ અને એક બહુ જ મોટું રહસ્ય ખૂલે છે.
હાલ મોરારી બાપુ યુનેસ્કો હેરિટેજ સાઈટ ધોળાવીરામાં કરી રહ્યા રામ કથા
અમદાવાદ. યુનેસ્કો દ્વારા જાહેર કરાયેલ વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરામાં મોરારી બાપુ રામ કથા કરી રહ્યા છે. 19 માર્ચથી કચ્છ જિલ્લામાં આવેલા આ ઐતિહાસિક સ્થળે આ રામકથાનો પ્રારંભ થયો છે. આ પ્રસંગે લગભગ 10 હજાર લોકો કોવિડ નિયમો પ્રમાણે કથા શ્રવણનો ભાગ પણ લઈ રહ્યા છે. 27 માર્ચ સુધી મોરારી બાપુના મુખેથી રામ કથાનું આયોજન કરવામાં આવ્યું છે, આ હડપ્પન શહેરને ગયા વર્ષે યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની યાદીમાં સામેલ કરવામાં આવ્યું હતું.