ચીનથી આવેલો કોરોના વાયરસે ભારતમાં પગપેસારો કર્યો છે ત્યારે આ વાયરસને લઈને લોકોમાં ઘભરાહટ જોવા મળી રહ્યો છે. આટલી ગંભીરવાત ઉપર મોરારી બાપૂએ પ્રયાગરાજમાં બુધવારે પોતાની કથામાં એક મજાક કરી હતી જે ખુબ વાયરલ થઈ હતી.
કોરોનાને કારણે ભારતમાં ફફડાટ
મજાકનો વિષય નથી
રામકથામાં બાપૂ એ કરી ટીપ્પણી
ચાઈનાનો માલ છે ટકશે નહીં
પ્રયાગમાં ચાલી રહેલી કથા દરમિયાન એક શ્રદ્ધાળુ સાથેની ચર્ચામાં તેમણે વાત વાતમાં અમેરિકા અને ચીનની વાત નીકળી હતી જેમાં તેમણે એવી ટીપ્પણી કરી કે, કોરોના વાયરસથી ડરવાની કોઈ જરૂર નથી. આ બીમારી વધુ નહીં ટકે. જાણો છો કેમ? કારણ કે આ ચાઈનોનો માલ છે.
ટ્રમ્પની પણ ઉડાવી મજાક
ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદ મુલાકાતને લઈને પણ મોરારીમબાપૂએ મજાક ઉડાવી હતી. તેમણે કહ્યુ હતુ કે, ટ્રમ્પને એક લાખ લોકોના 70 લાખ દેખાય છે કારણ કે એક ડોલરનો ભાવ 70 છેને ?
મોરારીબાપૂની આ ટીપ્પણી ખાસી વિવાદાસ્પદ બની હતી અને ઝડપથી વાયરલ થઈ હતી. એક તરફ કોરોનાને કારણે ભીડ વચ્ચે જવાની લોકો મનાઈ ફરમાઈ રહ્યા છે. ત્યારે કથામાં પણ મોટા પ્રમાણમાં ભીડ ભેગી થતી હોય છે જે કોરોના વાયરસને ફેલાવવા માટે જવાબદાર બની શકે છે.