દિલ્હી: વર્ષ 2019માં લોકસભાની ચૂંટણી આવી રહી છે. વિપક્ષ શાસક પક્ષને ચો તરફ ઘેરી રહ્યું છે. લોકપ્રિતા કોની વધી અને ઘટી રહી છે તે જાણવા જનતા પણ આતુર છે જનતાના દિલથી સર્વેના તીરમાં કયાં નેતા બાહુબલી છે. તે અંગે તાજેતરમાં એક સર્વે સામે આવ્યો હતો.
ઉલ્લેખીય છે કે ભારતમાં થનારી ચૂંટણીને ધ્યાનમાં રાખી વર્ષમાં બે વખત સર્વે હાથ ધરાતો હોય છે જેના ભાગરૂપે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી એક સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જેમાં પ્રધાનમંત્રી મોદીએ ફરી એક વખત બાજી મારી લીધી છે. પ્રધાનમંત્રી મોદીની લોકપ્રિયતા 49 ટકા સામે આવી છે. તો રાહુલ ગાંધીની 27 ટકા છે. આ સર્વે અનુસાર દેશમાં જો આજે ચૂંટણી થાય તો પ્રધાનમંત્રી મોદીને સીધો લાભ થાય પણ NDAને વર્ષ 2014ની સરખામણીએ 2019માં નુકસાન થઈ શકે છે.
2019 માં ભાજપ સત્તા ટકાવી રાખવામાં મજબૂત રહેશે. જેને કારણ યુ.પીએ પર જનતાનો અવિશ્વાસ છે. પીએમ મોદી અને અમિત શાહની જોડીને કોંગ્રેસ દિલ્હીથી દૂર કરવામાં ના કામીયાબ રહી છે. જો કે અન્ય પાર્ટીઓનો સાથ કોંગ્રેસને ખુબ સારા પ્રમાણમાં મળ્યો છે. તેથી આગામી સમયમાં કોંગ્રેસને તેનો લાભ પણ થઈ શકે છે.
આ સર્વે કુલ 91 સંસદીય અને 197 વિધાનસભા વિસ્તારમાં થયો છે. કુલ 12 100 લોકો વચ્ચે સર્વે કરવામાં આવ્યો છે. 18 જુલાઈથી લઈ 29 જૂલાઈ 2018 વચ્ચે આ સર્વે કરવામાં આવ્યો છે. જેમાં કુલ 543 સંસદીય લોકસભામાં 281 સીટ ભાજપને તો યુપીએને 122 સીટ મળવાનો દાવો કરવામાં આવ્યો છે. જ્યારે અન્ય સહિયોગી દળોના ખાતામાં 140 સીટો આવી શકે છે.
આપને જણાવી દઇએ કે વોટ શેરના આધાર પર એન.ડી.એના ખાતામાં 36 ટકા અને યુપીએના શાસનમાં 31 ટકા વોટ વધવાની સંભાવના રહેલી છે. આ સર્વે દેશની વર્તમાન સ્થિતિને જોતા સામે આવ્યો છે.NDA ના આ આંકડાઓને બનાવી રાખવા માટે નીતિશ કુમારની જનતાદળને સાથે રાખવી ખુબ જ જરૂરી છે.
આ સર્વે મુજબ 2019માં પણ દિલ્હીથી શાસન પ્રધાનમંત્રી મોદી જ કરશે. તેમની મજબૂત છબી ફરી એક વખત સર્વેમાં સામે આવી છે. દેશમાં પ્રધાનમંત્રી તરીકે તેમને લોકો પસંદ કરી રહ્યા છે. અન્ય નેતાઓની તુલનામાં તેઓ આજે પણ આગળ છે. રાહુલ ગાંધીની 27 ટકા લોકપ્રિયતા સામે પીએમ મોદીની 49 ટકા લોકપ્રિયતા સામે આવી છે.
આમ બંન્નેના ગ્રાફમાં પણ ડબલ અંતર દેખાઈ રહ્યો છે. જો કે હાલતો આ સર્વે 2019ને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. ત્યારે જોવું એ રહ્યું કે ભારતની જનતા 2019માં દિલ્હીની શુકાન કોને સોંપે છે.