રાજ્યમાં વરસાદને લઇને હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના પગલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરાઇ છે. 14 જૂને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, રાજકોટમાં વરસાદની આગાહી કરાઇ છે. આ ઉપરાંત સુરત, નવસારી, ડાંગ, ભરૂચ, વલસાડ, તાપીમાં વરસાદની આગાહી કરાઇ છે. હવામાન વિભાગે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે.
ગુજરાતમાં હજુ દિવસ આવશે વરસાદ
દ. ગુજરાત અને મધ્યગુજરાત પાણી પાણી
સૌરાષ્ટ્ર પણ થયુ પાણી પાણી
ગુજરાતમાં પર સર્જાયેલા અપર એર સરક્યુલેશનના કારણે રાજ્યમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદ વરસી રહ્યો છે.
સુરત જિલ્લામાં આજે પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ થઇ ગયો છે. સુરતના ઓલપાડ તાલુકાના અનેક ગામોમાં વરસાદ વરસી રહી રહ્યો છે. સુરતના કીમ, ઓલપાડ, કુડસદ, પરિયા, કીમામલી સહિત અનેક ગામોમાં સવારથી મેધરાજાની એન્ટ્રી થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.
અમરેલીના રાજુલા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેર અને ગ્રામીણ વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો છે. વરસાદના કારણે શહેરની મુખ્ય બજારોમાં પાણી ભરાયા છે. તો ભારે વરસાદના કારણે રાજુલાનો ઘાણો બે કાંઠે વહી રહ્યો છે. ઘાણો નદીમાં ઘોડાપૂર આવ્યું છે.પ્રથમ વરસાદે જ પૂર આવતા લોકો ઉમટી પડ્યા છે.
પોરબંદરના બરડા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે. બરડા પંથકમાં સતત ત્રીજા દિવસે મહેરબાન થયા છે. સીમર સહિત આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. 3 ઇંચ જેટલો વરસાદ પડતા ખેડરમાં પાણી ભરાયા છે. તો વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી લહેર છવાઇ છે.
છેલ્લા 3થી 4 દિવસથી રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. આજે ગીર સોમનાથ પંથકમાં પણ વરસાદને એન્ટ્રી કરી છે. તાલાળા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસતાં ભારે ગરમી અને ઉકળાટ બાદ લોકોએ રાહત અનુભવી છે.
હાલ વાવાઝોડા બાદ સર્જાયેલા અપર એર સર્ક્યુલેશનના કારણે રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. તો આજે સવારથી વલસાડ પંથકમાં પણ મેઘરાજાની એન્ટ્રી થઇ હતી. વલસાડ પંથકમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. સવારે વરસાદ પડતાં નોકરી ધંધાર્થે જતાં લોકોને મુશ્કેલી પડી હતી.
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વાવણી લાયક વરસાદ પડતા, ગુજરાતમાં ખેડૂતોએ વાવણીના શ્રીગણેશ કરી દીધા છે. ગુજરાતમાં બાજરીનું 77 હેકટરમાં અને મકાઈમાં 61 હેકટર વિસ્તારમાં વાવેતર કરવામાં આવ્યું છે.708 હેકટરામાં ડાંગર તેમજ 1 લાખ 11 હજાર હેક્ટરમાં મગફળીનું વાવેતર કરાયું છે. સોયાબીનની 2,325 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે. કપાસનુ 78 હજાર હેકટર વિસ્તારમાં અને 8,904 હેકટર વિસ્તાર શાકભાજીનુ વાવેતર કરવામાં આવ્યું છે. રાજ્યમાં વાવણી લાયક વરસાદ થઇ જતા કુલ અઢી ટકા વિસ્તારમા વાવેતર થઇ ગયું છે.