મોટાભાગે દેવી દેવતાઓના મંદિરો બાંધીને લોકો પૂજા અર્ચના કરતા હોય છે પણ આજની વિષમ રાજનૈતિક પરિસ્થિતિમાં કોઈ રાજનેતાનું મંદિર બાંધ્યું હોય એ વાત કદાચ માનવામાં ન આવે પણ મોરબી જિલ્લાના વાંકાનેરના ભોજપરા વિસ્તારમાં આ વાત સાચી ઠરી છે. તો કોણે બનાવ્યું છે મોદીજીનું મંદિર અને કેમ છે તેમને મોદી પ્રત્ત્યે ભગવાના જેવી અતૂટ શ્રદ્ધા જોઈએ આ વિશેષ અહેવાલમાં
મોરબી: મોટાભાગે દેવી દેવતાઓના મંદિરો બાંધીને લોકો પૂજા અર્ચના કરતા હોય છે પણ આજની વિષમ રાજનૈતિક પરિસ્થિતિમાં કોઈ રાજનેતાનું મંદિર બાંધ્યું હોય એ વાત કદાચ માનવામાં ન આવે પણ મોરબી જિલ્લાના વાંકાનેરના ભોજપરા વિસ્તારમાં આ વાત સાચી ઠરી છે. તો કોણે બનાવ્યું છે મોદીજીનું મંદિર અને કેમ છે તેમને મોદી પ્રત્ત્યે ભગવાના જેવી અતૂટ શ્રદ્ધા જોઈએ આ વિશેષ અહેવાલમાં
મોરબી જિલ્લાના વાંકાનેરમાં ભોજપરા વિસ્તાર આવેલ છે. જ્યાં 14 વર્ષથી વડાપ્રધાન મોદીનું મંદિર બનેલું છે. જો કે આ મંદિરનું બાંધકામ કરવામાં આવ્યું નથી પણ માત્ર ઈંટ અને પથ્થરો ગોઠવીને તેમાં મોદીજીની તસવીર ગોઠવી છે અને તેમની પૂજા કરવામાં આવી રહી છે.
સાવ નાનું સરખું મંદિર બનાવવામાં આવ્યું છે. કેમકે, આ લોકો એ જાણે છે કે, મંદિરનું વિશાળ બાંધકામ કરવામાં આવે તો જ લોકોની આસ્થા જળવાઈ રહે તેવું હોતું નથી. મંદિર વિશાળ હોય કે દેરી હોય કે મંદિર નામે પથ્થર હોય તોપણ તેમાં આસ્થાનું આરોપણ થઈ જતું હોય છે.
પીએમ મોદીની તસવરીને નાનકડા મંદિરમાં સ્થાપિત કરીને તેની પૂજા કરેલા આ લોકો વાદી પરિવારના છે. અને પીએમ મોદીને તેઓ પૂજનીય વ્યક્તિ તરીકે જે દરજ્જો આપી રહ્યા છે તેના કારણરૂપ મૂળ 16 વર્ષ જૂના છે. વાંકાનેરના ભોજપરા વિસ્તારમાં વર્ષોથી 200થી વધુ વાદી પરિવારો ઝૂંપડા બાંધીને રહે છે.
જોકે વર્ષોથી માત્ર મદારીના ખેલ કરીને જ પેટિયું રળતા હોવાથી વાદી પરિવારના બાળકો શિક્ષણ અને વિકાસથી જોજનો દૂર રહ્યા હતા. જેતે સમયે વાદી સમાજના લોકોએ પાકા ઘર બનાવવા અને પ્રાથમિક જરૂરિયાતો માટે સ્થાનિક તંત્ર અનેકવાર રજૂઆત કરી હતી.
પરંતુ કોઈ ઉકેલ ન આવતા અંતે 2002માં ગુજરાતના મુખ્યમંત્રી બનેલા નરેન્દ્ર મોદી સમક્ષ તેમણે માગણી મૂકી હતી. મોદીએ વાદી સમાજની આપવીતી સાંભળીને ઘર બનાવતા પહેલા તેમના બાળકોને શિક્ષણ આપવા માટે ભાર મૂકીને ભોજપરા વિસ્તારમાં સરકારી પ્રાથમિક શાળા ખોલી આપી.
ત્યારપછી પાકા રહેણાક મકાન, વીજળી, પાણી સહિતની પ્રાથમિક જરૂરિયાતોની તમામ સગવડો આપી હતી. તત્કાલિન મુખ્યમંત્રી મોદીજીના પ્રયાસોથી ભોજપરા વિસ્તારમાં નવી વાદી વસાહત બની ગઈ છે. આથી વાદી સમાજના લોકો છેલ્લાં 14 વર્ષથી મોદીજીની તસવીર એક નાનકડી દેરીમાં સ્થાપિત કરીને નિયમિત પૂજા-અર્ચના કરી રહ્યા છે.
ભોજપરા વિસ્તારની વાદી વસાહતમાં મોદીજીના પ્રયાસથી શાળા શરૂ કરી દેતાં શૈક્ષણિક રીતે પછાત ગણાતા વાદી સમાજના ઘણા બાળકો શિક્ષણ મેળવતા થયા છે. અભ્યાસ કરીને ઘણા યુવાનોએ મોભાદાર સ્થાન પણ મેળવ્યું છે.
જોકે, હવે મદારીનો પરંપરાગત વ્યવસાય છૂટી જતા એમ પણ તેઓ હવે શિક્ષણ તરફ વળ્યા છે. વળી શિક્ષણ મેળવ્યા વગર પ્રગતિ નથી એ વાત સારી રીતે સમજીને વાદી સમાજના લોકો પોતાના બાળકોને ભણાવી રહ્યા છે.
તેઓ પોતાની સુધરેલી સ્થિતિ માટે મોદીજીના પ્રયાસોની પ્રશંસા કરી રહ્યા છે. જો કે, જરૂરિયાતનો ક્યારેય અંત આવતો નથી. એટલે જ તો આવાસની સુવિધા બાદ વાદીવસાહતના લોકોને રોડ અને રસ્તાની પણ જરૂરિયાત ઊભી થઈ છે.
બદલાતા સમયમાં પરંપરાગત વ્યવસાયમાં બદલાવ આવ્યો છે ત્યારે વિચરતા વાદીઓને સ્થાઈ નિવાસની જરૂર પડી. જેનું સમાધાન તો તેમને 15 વર્ષ પહેલા મળી ગયું છે. પરંતુ હવે જ્યારે આવાસ સુધી આવવા જવા તેમને રોડ અને રસ્તાની જરૂર પડી રહી છે તે માગણી પણ પહેલાની જેમ જલદી સંતોષાય છે કે ઘણી ચૂંટણીઓ સુધી રાહ જોવી પડે છે તે જોવું રહ્યું.