કેન્દ્રની મોદી સરકાર વૃદ્ધોની દેખરેખ માટે એક નવી યોજના લાવી રહી છે, જેના ફાયદા વૃદ્ધાવસ્થામાં તેમની સારસંભાળ લેવામાં ખૂબ જ કામમાં આવશે.
મોદી સરકાર લાવી રહી છે વધુ એક નવી યોજના
વૃદ્ધોની દેખરેખ કરવાનું સરળ બનશે
ઓનલાઈન પોર્ટલ પણ વિગતો થશે અપડેટ
પ્રધાનમંત્રી મોદીની સરકાર સમાજના દરેક વર્ગને ધ્યાને રાખીને યોજનાઓ બનાવી રહી છે. તમામ યોજનાઓ લાગૂ થઈ ચુકી છે અને અઢળક ફાયદાઓ પણ લોકો ઉઠાવી રહ્યા છે. આ જ ક્રમમાં કેન્દ્ર સરકાર હવે વૃદ્ધોની દેખરેખ માટે નવી યોજના શરૂ કરવા જઈ રહી છે. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, આ યોજનાનું નામ 'પીએમ સ્પેશિયલ' હશે. જે અંતર્ગત વૃદ્ધોને ઘરે બેઠા મેડિકલ કેરની સેવાઓ આપવામાં આવશે. આ યોજનાથી વૃદ્ધાવસ્થામાં લોકોની દેખરેખ કરનારા લોકોને વ્યવસ્થિત, વિશ્વસનિય સિસ્ટમ બનશે અને સાથે જ ખર્ચો પણ ઓછો આવશે.
આ યોજનાની જાણકારી રાખનારા લોકોના હવાલેથી જાણવા મળ્યું છે કે, કેન્દ્ર સરકાર આ યોજના અંતર્ગત આગામી ત્રણ વર્ષમાં લગભગ એક લાખ લોકોને geriatric care-giversની ટ્રેનિંગ આપશે. સામાજિક ન્યાય મંત્રાલય એક અઠવાડીયાની અંદર ટ્રેનિંગ કાર્યક્રમની શરૂઆત કરી શકે છે. સરકાર તરફથી એક ઓનલાઈન પોર્ટલ બનાવામાં આવશે, જેના પર તમામ રજીસ્ટર્ડ અને ટ્રેંડ જેરિએટિક પ્રોફેશનલ્સના લિસ્ટ હશે. આ એક ઈ માર્કેટ પ્લેસ માફક હશે. અહીં લોકો વૃદ્ધોની દેખરેખ માટે પોતાની સુવિધા અનુસાર પ્રોફેશનલ્સની ઉપલબ્ધતા જોઈ શકશે અને તેને હાયર કરશે. આ વેબસાઈટ સપ્ટેમ્બર સુધીમાં શરૂ થવાની આશા છે.
સામાજિક કલ્યાણ મંત્રાલયના સચિવ આર. સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે, વૃદ્ધ વ્યાવસાયિકોની જરૂરીયાતનો અત્યાર સુધી વ્યવસ્થિત રીતે પુરી કરવામાં આવી નથી. વદ્ધોની દેખરેખ માટે જરૂરી ટ્રેનિંગ પ્રોફેશનલ્સ કાં તો છેજ નહીં આથવા તો તેના વિશે ખબર જ નથી પડી. ત્યારે આવા સમયે લોકો જ્યાંથી પણ શક્ય હોય, ત્યાંથી સેવાઓ લે છે. ઘણી વાર અનટ્રેંડ લોકો પણ આ કામ કરવા લાગે છે. જેનાથી વૃદ્ધોના સ્વાસ્થ્ય સુરક્ષિત હાથોમાં નથી રહેતું. આ ઉપરાંત દેખરેખનો ખર્ચ પણ વધારે થાય છે. સુબ્રમણ્યમે જણાવ્યું છે કે, હવે સરકાર પ્રોફેશનલ રીતે તેની સિસ્ટમ બનાવી રહ્યું છે. જે હેલ્થ મિનિસ્ટ્રીથી મંજૂર થશે. તેનાથી વૃદ્ધોને ક્વાલિટી દેખરેખ મળી શકશે અને ખર્ચ પણ પહેલા કરતા ઓછો થશે.
સચિવે જણાવ્યું છે કે, જેરિએટિક પ્રોફેશનલ બનવાની ટ્રેનિંગ લેવા માટે એવા કોઈ પણ વ્યક્તિ અપ્લાઈ કરી શકશે, જેમણે ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો છે. તેમણે જણાવ્યું છે કે, સરકાર આ દરમિયાન એસસી, એસટી અને અન્ય પછાત વર્ગના લોકોમાંથી લગભગ 10,000 લોકોને મફતમાં ટ્રેનિંગ આપશે. આ યોજનાથી લગભગ એક લાખ લોકોને રોજગાર મળશે. સૌથી મોટી વાત એ છે કે, વૃદ્ધોની દેખરેખ રાખવામાં માટે એક સિસ્ટમ હશે.