બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Modi Govt next agenda to achieve PoK jitendra singh

જમ્મુ કાશ્મીર / મોદી સરકારનો આગામી પ્લાન 'PoK' મેળવવાનો, કેન્દ્રીય મંત્રીનો મોટો ઇશારો

Hiren

Last Updated: 10:05 PM, 21 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહે રવિવારે કહ્યું કે, પાકિસ્તાનના કબજાવાળા જમ્મુ કાશ્મીર(PoK)ને ફરીથી હાંસલ કરવાનો એજન્ડામાં આગામી પ્લાન છે.

  • મોદી સરકારનો આગામી પ્લાન 'PoK' મેળવવાનોઃ કેન્દ્રીય મંત્રી
  • જમ્મુ કાશ્મીરમાં જેમ કલમ 370 હટાવી તેમ PoK મેળવીશુંઃ જિતેન્દ્રસિંહ
  • વિભાજન માનવ જાતિના ઇતિહાસમાં સૌથી મોટી ત્રાસદી હતીઃ જિતેન્દ્રસિંહ

જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદથી જ દેશમાં સતત આ વાતની ચર્ચા થઇ રહી છે કે મોદી સરકાર પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના મુદ્દા પર પણ કોઈ મહત્વનો નિર્ણય લેવાની યોજના બનાવી રહી છે. આ વચ્ચે કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહે મહત્વનું નિવેદન આપ્યું છે. નવી દિલ્હીમાં PoK વિસ્થાપિતોને સમર્પિત મીરપુર બલિદાન દિવસ કાર્યક્રમને સંબોધિત કરતા તેમણે કહ્યું કે, જે નેતૃત્વમાં કલમ 370 હટાવવાની ક્ષમતા અને ઇચ્છાશક્તિ છે, તેઓ પાકિસ્તાનના ગેરકાયદે કબજાથી PoKને ફરીથી હાંસલ કરવાની ક્ષમતા રાખે છે.

વિભાજન માનવ જાતિના ઇતિહાસમાં સૌથી મોટી ત્રાસદી હતીઃ જિતેન્દ્રસિંહ

મુખ્ય મહેમાન તરીકે સંબોધન કરતા મંત્રીએ કહ્યું કે, ભારતીય ઉપખંડનું વિભાજન માનવજાતિના ઇતિહાસમાં સૌથી મોટું સંકટ હતું. તેમણે કહ્યું કે, જમ્મુ કાશ્મીરને તત્કાલિન રજવાડાના એક ભાગને ખોવાના રૂપમાં બીજા સંકટનો સામનો કરવો પડ્યો જે પાકિસ્તાનના ગેરકાયદે કબ્જામાં ચાલ્યો ગયો. સિંહે કહ્યું કે, પાકિસ્તાનના કબજાવાળા જમ્મુ કાશ્મીરને પુનઃ પ્રાપ્ત કરવાનો આગામી એજન્ડા છે.

PoKને ફરીથી મેળવવું માનવાધિકારના સન્માનની જવાબદારીઃ જિતેન્દ્રસિંહ

પ્રધાનમંત્રી કાર્યલાયમાં રાજ્યમંત્રી સિંહે કહ્યું કે, PoKને ફરીથી મેળવવું ન માત્ર એક રાજકીય અને રાષ્ટ્રીય એજન્ડા છે, પરંતુ માનવાધિકારના સન્માનની જવાબદારી પણ છે કારણ કે PoKમાં આપણા ભાઈ અમાનવીય પરિસ્થિતિમાં વસી રહ્યા છે અને તેમને સ્વાસ્થ્ય અને શિક્ષા જેવી પાયાની સુવિધાઓ પણ નથી આપવામાં આવી રહી.

તેમણે કહ્યું કે, તત્કાલિન ગૃહ મંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે આઝાદીના સમયે 560થી વધુ રજવાડાઓનો વિલય કરવાની જવાબદારી લીધી હતી અને તેને સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. પરંતુ તેમણે જમ્મુ કાશ્મીર મામલે બહાર રાખવામાં આવ્યા હતા કારણ કે જવાબરલાલ નેહરૂ જમ્મુ કાશ્મીરને ફરીથી પોતાના સ્તરે સંભાળવા ઇચ્છતા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ