વર્ષના અંત સુધીમાં જમ્મુ-કશ્મીરમાં ચૂંટણી યોજાય તેવી કેન્દ્રને આશા છે. આથી, જમ્મુ-કશ્મીરમાં વિધાનસભા મત વિસ્તારોના સીમાંકન અંગે પ્રારંભિક અહેવાલનો મુસદ્દો તૈયાર કરી દેવાયો છે.
જમ્મુ-કશ્મીરમાં આ વર્ષના અંતમાં થઇ શકે ચૂંટણી
ગુજરાત, હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી સાથે જ જમ્મુની પ્રક્રિયા થઇ શકે છે પૂર્ણ
ગુજરાતમાં 18 ફેબ્રુઆરીએ વિધાનસભાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે
કેન્દ્ર સરકારને આશા છે કે આ વર્ષના અંત સુધીમાં તેઓ જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી કરાવશે. સૂત્રોનું માનીએ તો આ પ્રક્રિયા ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણી સાથે પૂર્ણ થઈ શકે છે. હિમાચલ પ્રદેશમાં વિધાનસભાનો કાર્યકાળ 8 જાન્યુઆરીએ અને ગુજરાતમાં 18 ફેબ્રુઆરીએ સમાપ્ત થઈ રહ્યો છે. કેન્દ્ર સરકારના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યાં અનુસાર જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા મતવિસ્તારોના સીમાંકનની પ્રક્રિયા ચાલી રહી છે.
સીમાંકન આયોગ ટૂંક સમયમાં જ પોતાનો રિપોર્ટ સોંપવા જઈ રહ્યું છે. એ પછી મતદાર યાદીઓ અપડેટ કરવામાં આવશે. આ પ્રક્રિયા જૂન-જુલાઈ સુધીમાં પૂર્ણ થઈ શકે છે. ત્યાર બાદ ચૂંટણી પંચ સરકાર અને સુરક્ષા એજન્સીઓ પાસેથી મળેલી માહિતીના આધારે જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી નક્કી કરી શકે છે.
જમ્મુ-કશ્મીરમાં વિધાનસભા ક્ષેત્રના સીમાંકનની શરૂઆતી રિપોર્ટનો મુસદ્દો તૈયાર
જમ્મુ-કશ્મીરમાં વિધાનસભા ક્ષેત્રના સીમાંકનની શરૂઆતી રિપોર્ટનો મુસદ્દો તૈયાર કરાયો છે. ગુજરાત અને હિમાચલપ્રદેશની વિધાનસભા ચૂંટણી સાથે આ પ્રક્રિયા હાથ ધરાઈ શકે છે. હિમાચલ પ્રદેશમાં વિધાનસભા કાર્યકાળ 8 જાન્યુઆરીએ પૂર્ણ થઈ રહ્યો છે. ગુજરાતમાં 18મી ફેબ્રુઆરીએ વિધાનસભાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. સીમાંકન આયોગ ટૂંક સમયમાં પોતાનો રિપોર્ટ સોંપશે. રિપોર્ટ બાદ મતદાન યાદીનું અપડેટ માંગવામાં આવશે. જો જૂન-જુલાઈ સુધીમાં પ્રક્રિયા પૂર્ણ થશે તો ચૂંટણી પંચ ચૂંટણીનો નિર્ણય કરી શકે છે.
રિપોર્ટના મુસદ્દા પર આવેલી મુશ્કેલીઓ પર વિચાર કરી રહ્યું છે સીમાંકન પંચ
સીમાંકન પંચ (Delimitation Commission) તેની પર વિચાર કરી રહ્યું છે ત્યાર બાદ ફાઇનલ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. નોંધનીય છે કે, આ સીમાંકન આયોગની રચના કેન્દ્ર સરકાર દ્વારા 6 માર્ચ 2020ના રોજ કરવામાં આવી હતી. તેનો અંતિમ અહેવાલ રજૂ કરવા માટે એક વર્ષનો સમય આપવામાં આવ્યો હતો. જો કે તેની સમય મર્યાદા 2 વખત વધારવામાં આવી છે. પંચ આગામી સપ્તાહે રાજ્યમાં આગામી સુનાવણી હાથ ધરશે.
મતદાર યાદીઓની સમીક્ષામાં લાગશે 2 થી 3 મહિનાનો સમય
જો સૂત્રોનું માનીએ તો, જસ્ટિસ (નિવૃત્ત) રંજના પ્રકાશ દેસાઈની આગેવાની હેઠળનું સીમાંકન પંચ જેવો પોતાનો રિપોર્ટ આપશે કે તુરંત ચૂંટણી પંચ મતદાર યાદીઓની સમીક્ષા કરવાનું શરૂ કરી દેશે.