બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત
સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
VTV / Modi govt extends PM Swanidhi scheme for hawkers and laborers, Union Cabinet decides
Hiralal
Last Updated: 05:31 PM, 27 April 2022
પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં બુધવારે કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી જેમાં પાંચ મોટા નિર્ણય લેવાયો છે. કેબિનેટની બેઠકમાં PM સ્વનિધિ યોજનાને 2024 સુધી લંબાવવાની, જમ્મુ અને કાશ્મીર કવાર હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટને લંબાવવાની તથા ખાતર પર જંગી સબસિડીની, 10 નક્સલ પ્રભાવિત રાજ્યોમાં 2G ટેલિકોમ નેટવર્ક 4Gમાં રૂપાંતરિત કરવાની અને ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકો માટે 820 કરોડની જોગવાઈ જેવા પાંચ મોટા નિર્ણય લેવાયા છે.
The Cabinet has approved Nutrient Based Subsidy rates for Phosphatic and Potassic fertilizers for Kharif Season: Union Minister Anurag Thakur pic.twitter.com/n0R9JfxybL
— ANI (@ANI) April 27, 2022
જમ્મુ અને કાશ્મીર કવાર હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટને એક્સ્ટેંશન
મોદી સરકારે જમ્મુ અને કાશ્મીર કવાર હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટને લંબાવી દીધો છે. સરકારના આ નિર્ણયને કરાણે વીજળી સપ્લાયમાં જમ્મુ કાશ્મીર આત્મનિર્ભર બનશે.
રાસાયણિક ખાતરો પર જંગી સબસિડીનું એલાન
કેન્દ્ર સરકારે રાસાયણિક ખાતરો પર જંગી સબસિડીનું એલાન કર્યું છે. આને કારણે વધી રહેલા ખાતરના ભાવની ખેડૂતો પર કોઈ અસર નહીં પડે
નકસલ પ્રભાવિત 10 રાજ્યોમાં 4જી નેટવર્ક
નક્સલ પ્રભાવિત રાજ્યોમાં 2G ટેલિકોમ નેટવર્કને 4Gમાં રૂપાંતરિત કરવામાં આવ્યું છે. આવનારા દિવસોમાં ટેક્નોલોજીને વેગ મળશે.
ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકો માટે 820 કરોડની જોગવાઈ
કેન્દ્ર સરકારે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકો માટે 820 કરોડની જોગવાઈ કરી છે. કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે.
ફેરિયા અને રેકડી મજૂરો માટેની યોજના લંબાવાઈ
PM સ્વનિધિ યોજના 2024 સુધી લંબાવવાની મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ પત્રકારોને માહિતી આપતી કેન્દ્રીય આઈટી મિનિસ્ટર અનુરાગ ઠાકુરે કહ્યું કે PM સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિને હવે 2024 સુધી લંબાવવામાં આવે છે. આ યોજના માટેનો ખર્ચ પણ વધારવામાં આવ્યો છે અને હવે તેને 8100 કરોડ કરી દેવાયો છે.
The Union Cabinet has approved the continuation of Prime Minister Street Vendor’s AtmaNirbhar Nidhi (PM SVANidhi) till December 2024: Union Minister Anurag Thakur pic.twitter.com/gxAB3N3iIX
— ANI (@ANI) April 27, 2022
PM સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિથી શહેરી ભારતના 1.2 કરોડ લોકોને ફાયદો
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે એવું પણ કહ્યું કે PM સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિથી શહેરી ભારતના 1.2 કરોડ લોકોને ફાયદો થશે.
શું છે પીએમ સ્વનિધિ યોજના?
પીએમ સ્વનિધિ યોજના કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક યોજના છે, જે હેઠળ તે રેલમાર્ગો, ફેરિયાઓ અને શેરી વિક્રેતાઓને લાભ આપવામાં આવે છે, કોરોનામાં જે લોકોની નોકરી ગઈ હોય તેમને સરકાર 10,000 રૂપિયા સુધીની લોન આપે છે. આ સાથે લોનની ચુકવણી પર વ્યાજમાં 7 ટકાની સબસિડી પણ સમયસર આપવામાં આવે છે. એટલું જ નહીં જો તમે ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરો છો તો તમને કેશબેકની સુવિધા પણ આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે આ યોજનાનો લાભ માત્ર એ લોકોને જ મળે છે જે વર્ષ 2022 એટલે કે કોરોના મહામારી પહેલા રેહરી અથવા ફેરીનું કામ કરતા હતા પરંતુ હવે આ યોજનાનો લાભ ડિસેમ્બર 2024 સુધી જ મળશે.
देश के 10 राज्यों में 2542 मोबाइल टावर को आज प्रधानमंत्री मोदी के नेतृत्व में मंत्रिमंडल ने 2जी से 4जी में अपग्रेड करने के लिए 2426 करोड़ रुपये का अनुमोदन किया है: केंद्रीय मंत्री अनुराग ठाकुर pic.twitter.com/3VjW1xIZlJ
— ANI_HindiNews (@AHindinews) April 27, 2022
આજે કેબિનેટની બેઠકમાં પાંચ મોટા નિર્ણયો લેવામાં
પ્રથમ- જમ્મુ અને કાશ્મીર કવાર હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટને એક્સ્ટેંશન આપવામાં આવ્યું છે. જમ્મુ-કાશ્મીર વીજ પુરવઠામાં આત્મનિર્ભર બનશે.
બીજો- PM સ્વનિધિ યોજનાની અવધિ માર્ચ 2022 થી 2024 સુધી લંબાવવામાં આવી છે. સ્ટ્રીટ વેન્ડરોને ફાયદો થશે.
ત્રીજો- રાસાયણિક ખાતરો પર જંગી સબસિડીની જાહેરાત જેથી ખેડૂતોને વધતા ભાવની અસર ન થાય.
ચોથો- 10 નક્સલ પ્રભાવિત રાજ્યોમાં 2G ટેલિકોમ નેટવર્કને 4Gમાં રૂપાંતરિત કરવામાં આવ્યું છે. આવનારા દિવસોમાં ટેક્નોલોજીને વેગ મળશે.
પાંચમો- ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકોને પોસ્ટ ઓફિસોમાં પ્રોત્સાહન આપવામાં આવ્યું છે જેથી કરીને ગ્રામીણ વિસ્તારોની વધુને વધુ મહિલાઓ બેંકો સાથે જોડાઈ શકે અને તેમને બેંકિંગ સંબંધિત કામમાં સુવિધા મળી શકે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / હાર માને એ બીજા વડોદરાના તપનદાસ ગુપ્તા નહીં! છઠ્ઠીવાર નોંધાવી ઉમેદવારી,જાણો કોણ છે વ્યક્તિ
Tapandas Gupta
આદેશ / 'ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર નહીં લગાવો તો...', ખાનગી શાળાઓ વિરૂદ્ધ અમદાવાદ DEOની લાલ આંખ
Ahmedabad news