કેન્દ્ર સરકારે ખેડૂતોની આવક વધારવા માટે MSP પર કમિટીની રચના કરવાની જાહેરાત કરી છે.
ખેડૂતોની આવક વધશે
મોદી સરકારે કરી MSP પર કમિટી બનાવી
સમિતિમાં કૃષિ અને સહકારી ક્ષેત્રના નિષ્ણાતો સહિત 16 હસ્તીઓ
MSPને વધુ અસરકારક અને પારદર્શક બનાવવા માટે કામ કરશે કમિટી
કેન્દ્ર સરકારે કૃષિ ક્ષેત્રમાં ફેરફાર કરવા અને ખેડૂતોની આવક વધારવા માટે એક મોટા નિર્ણયમાં લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી), પાક વૈવિધ્યકરણ અને કુદરતી ખેતી માટે એક સમિતિની રચના કરી છે. કૃષિ કાયદાઓ વિરુદ્ધ આંદોલન કરી રહેલા સંયુક્ત કિસાન મોર્ચા આ લડાઈમાં ડિસેમ્બર 2021 થી પોતાના ત્રણ પ્રતિનિધિઓના નામ આપી શક્યા નથી. તેમના તરફથી નામ આવવાની લાંબા સમય સુધી રાહ જોયા બાદ સરકારે એક સમિતિની જાહેરાત કરી છે
A committee to be constituted to promote Zero-budget based farming, to change crop patterns & make MSP more effective & transparent. Committee to consist of representatives of Central govt, state govts, farmers, agro-scientists&economists: Ministry of Agriculture& Farmers Welfare
કયા કયા લોકોને સામેલ કરાયા કમિટીમાં
MSP સમિતિમાં કૃષિ અને સહકારી ક્ષેત્રના નિષ્ણાતો સહિત 16 લોકોના નામ છે. આ સમિતિ એમએસપીને વધુ અસરકારક અને પારદર્શક બનાવવા માટે કામ કરશે. જેથી ખેડૂતોની આવક વધે. પૂર્વ કૃષિ સચિવ સંજય અગ્રવાલને સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.
સંયુક્ત કિસાન મોરચાના 3 સભ્યોને સામેલ કરાશે
સરકારે બહાર પાડેલા નોટિફિકેશન મુજબ સંયુક્ત કિસાન મોરચાનું નામ આવશે ત્યારે હજુ પણ ત્રણ સભ્યોને સામેલ કરવામાં આવશે. એટલે કે કમિટીમાં તમને સ્થાન મળશે. સરકારે અન્ય ખેડૂત સંગઠનોના પાંચ નામ શામેલ કર્યા છે. જેમાં ગુણવંત પાટીલ, કૃષ્ણવીર ચૌધરી, પ્રમોદકુમાર ચૌધરી, ગુની પ્રકાશ અને પાશા પટેલનો સમાવેશ થાય છે. આમાંથી મોટા ભાગના નામો સરકાર તરફી છે. તેમાં સહકારી ક્ષેત્રને પણ પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે.
Former Agriculture Secretary Sanjay Agrawal to chair the said committee on MSP, crop diversification and natural farming. pic.twitter.com/AYV62cU8bR
ઇફ્કોના અધ્યક્ષ દિલીપ સંઘાણીને કમિટીમાં સ્થાન અપાયું
ગુજરાત ભાજપના નેતા અને પૂર્વ મંત્રી દિલિપ સંઘાણીને પણ એમએસપી કમિટીમાં સ્થાન આપવામાં આવ્યું છે. તેમની ઉપરાંત સહકારી અને કૃષિ નિષ્ણાત બિનોદ આનંદના નામ પણ કમિટીમાં સામેલ છે.
Govt sets up panel to recommend ways to strengthen minimum support price system: Notification
દેશના ખેડૂતો માટે એમએસપી મેળવવાની વ્યવસ્થાને વધુ અસરકારક અને પારદર્શક બનાવવા સૂચનો.
કમિશન ફોર એગ્રિકલ્ચરલ કોસ્ટ્સ એન્ડ પ્રાઇસ (સીએસીપી)ને વધુ સ્વાયત્તતા આપવાની શક્યતા અને તેને વધુ વૈજ્ઞાનિક બનાવવા માટેના પગલાં.
આ સમિતિ કૃષિ માર્કેટિંગ પ્રણાલીને મજબૂત બનાવવાની વ્યવસ્થા કરશે. જેથી દેશની બદલાતી જરૂરિયાતો અનુસાર ઘરેલુ અને નિકાસની તકોનો લાભ લઈને ખેડૂતો માટે તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવો સુનિશ્ચિત કરી શકાય.
આ સમિતિ પ્રાકૃતિક ખેતી પર પણ કામ કરશે. ભારતીય કુદરતી કૃષિ પ્રણાલીનો વ્યાપ વધારવાનું સૂચન કરશે.
આ સમિતિ કુદરતી ખેતીમાંથી ઉત્પાદિત ઉત્પાદનોના જૈવિક પ્રમાણપત્ર માટે પ્રયોગશાળાઓના વિકાસ પર પણ કામ કરશે.
જળ સંકટ અને આબોહવા પરિવર્તનને કારણે પાકનું વૈવિધ્યકરણ એ એક મહત્વપૂર્ણ મુદ્દો છે. સમિતિ હાલની પાક પ્રણાલીનો નકશો બનાવશે. દેશની બદલાતી જરૂરિયાતો અનુસાર પાકની પેટર્નમાં ફેરફાર માટે સૂચનો કરશે.
વ્યવસ્થાઓ અને સૂક્ષ્મ સિંચાઈ યોજનાની સમીક્ષા કરવામાં આવશે અને નવા પાકના વેચાણ માટે મહેનતાણાના ભાવ મેળવવા સૂચન કરવામાં આવશે.