ગુરુવારે કેન્દ્ર સરકારે એક પુસ્તિકા બહાર પાડી છે. આ પુસ્તિકામાં એ દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે મોદી સરકાર શીખો સાથે કેટલો ગાઢ સંબંધ ધરાવે છે.
બુકલેટ દ્વારા એવું બતાવવામાં આવ્યું છે કે PM નરેન્દ્ર મોદી અને તેમની સરકારનો શીખો સાથે ખાસ સંબંધ છે. આ પુસ્તિકામાં મોદી સરકારે ખેડૂતો માટે શું શું કર્યું છે તેનો પણ વિગતવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આમાં કેન્દ્રની મોદી સરકાર દ્વારા ખેડુતોને લગતા અત્યાર સુધીના કલ્યાણલક્ષી કાર્યોનું અંગેનું વર્ણન પણ કરવામાં આવ્યું છે.
બુકલેટ જારી કરીને ખેડૂતોની મૂંઝવણોને દૂર કરવાનો પ્રયાસ કર્યો
કૃષિ સુધારા અંગે સંમતિ અને પરામર્શની વિગતો પણ આ પુસ્તિકામાં છે. કેન્દ્ર સરકારે ખેડુતો પર બુકલેટ જારી કરીને ખેડૂતોની મૂંઝવણોને દૂર કરવાનો પ્રયાસ પણ કર્યો છે. આ પુસ્તિકામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ખેડૂતનું ચિત્ર પણ લગાવેલું છે.
પુસ્તિકામાં નવા કૃષિ કાયદાના ફાયદાઓની ગણાવવામાં આવ્યા છે અને ખેડૂતોનો વિશ્વાસ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
બુકલેટમાં લખેલા નવા કૃષિ કાયદાઓના લાભ
MSP સિસ્ટમ ચાલુ રહેશે. કૃષિ કાયદાઓ બન્યા પછી સરકારે MSPમાં વધારાની ઘોષણા પણ કરી છે
MSP બજારો પોતાનું કામ ચાલુ જ રાખશે
ખેડૂતો પોતાની ઉપજને પોતાની ઈચ્છા અનુસાર મંડીઓ અથવા બહાર વેચી શકે છે.
પાક ઉગાડ્યા પહેલા જ ખેડૂતો તેની કિંમત નક્કી કરી શકશે
સમય પર ચુકવણી ન કરવાથી ખરીદાર સામે કાયદાકીય કાર્યવાહી થશે
ખેડૂત પોતાની મરજીથી ડીલ્સ કરી અથવા બદલી શકશે
આ પ્રયત્નોમાં વધારે રોકાણ અને માળખાગત સુવિધાઓનો વિકાસ થશે
ખેડૂતોની આવક વધશે અને ગ્રામીણ યુવાનોને રોજગારીનો અવસર મળશે
આ કાયદાઓથી આ અસરો નહીં થાય
MSP દૂર નહીં થાય
APMC બજારો બંધ નહીં થઇ જાય
કોઈ પણ કારણસર કોઈ પણ વ્યક્તિ ખેડૂતોની જમીન લઇ નહીં શકે
ખરીદી કરનાર વેપારી ખેડૂતને દગો નહીં આપી શકે
ખરીદી કરનાર સંપૂર્ણ ચુકવણી વગર સોદો પૂરો નહીં કરી શકે