નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લાગેલ આગથી દબાણ હેઠળ આવેલ સરકારે આજે કેટલીક રાહતની જાહેરાત કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન આજે સાંજે સરકારી ઓઇલ કંપનીઓ સાથે બેઠક યોજવામાં આવેલ છે.
આ સાથે એવી અપેક્ષાઓ પણ રાખવામાં આવેલ છે કે સરકાર મીટિંગ પછી સારા સમાચાર આપી શકે. જો કે સરકાર તરફથી આ અંગે કંઈ જ કહેવામાં આવ્યું નથી. હાલ માત્ર અટકળોનો જ દોર ચાલુ છે કે આ બેઠક બાદ સરકાર દ્વારા કેટલી રાહત આપવામાં આવશે.
આ વચ્ચે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં દિવસેને દિવસે થઇ રહેલ વધારાને કારણે દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 76.87 પૈસા થઇ ગઇ હતી તો ડીઝલની કિંમત 68.08 થઇ હતી.તો આ તરફ દેશની રાજધાની મુંબઇમાં પેટ્રોલ 84.70 રૂપિયા અને ડીઝલ 72.48 રૂપિયા લીટર પર પહોંચી છે. તો આ તરફ કોલકાત્તામાં 1 લીટર પેટ્રોલમાંટે ગ્રાહકોને 79.53 રૂપિયા ખર્ચવા પડે છે. તો ડીઝલ માટે 70.63 રૂપિયા ચૂકવવા પડે છે.
કંપનીઓએ બીજીવાર સબસીડી કરવી પડશે શેર...?
મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર હસ્તકની તેલ ઉત્પાદક સરકાર ONGC અને ઓઇલ ઇન્ડિયા લિમિટેડ ફરીથી બળતણ સબસિડી બોજ શેર કરવા કહી શકે છે. ઓએનજીસી અને ઓઆઇએલ 13 વર્ષથી વધુ સમયથી 40 ટકા જેટલી આવકમાં ઘટાડો કરે છે. ત્યારબાદ પેટ્રોલ ડીઝલ અને એલપીજીના ભાવ સરકારી અંકુશ હેઠળ હતા અને રિટેલર દ્વારા નીચા ભાવે વેચવામાં આવી હતી. સબસીડી શેરિંગનો આ બોજ સરકારી કંપનીઓ દ્વારા 2015 માં દૂર કરવામાં આવ્યો હતો.
2010માં કરવામાં આવેલ બજારના હવાલે
જૂન 2010માં સરકારે પેટ્રોલ અને ઓક્ટોબર 2014માં ડીઝલની કિંમતથી નિયંત્રણ મૂક્ત કરી દીધેલ છે.સરકાર હવે માત્ર LPG અને કેરોસિનના ભાવમાં જ સબસીડી આપી રહી છે.
મંત્રીએ આપ્યો હતો ભરોષો
પેટ્રોલીયમ મંત્રીએ રવિવારે જ જણાવેલ કે હું માનું છું કે લોકોને અને ખાસ કરીને મધ્યમ વર્ગના લોકોને પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ખરાબ અસર પડે છે.અને આ બાબતને ધ્યાને રાખીને ભારત સરકાર આ બાબતનો નિવેડો લાવવા નજીકના જ ભવિષ્યમાં જ પગલા ભરશે.